બાળકોને મધ્યાહન ભોજન પણ કાગળના ટુકડાઓ પર અપાયું, વીડિયો વાયરલ

શું મધ્ય પ્રદેશમાં મધ્યાહન ભોજન વ્યવસ્થા કાગળ પર ચલાવવામાં આવી રહી છે? આનું ઉદાહરણ શ્યોપુર જિલ્લામાં જોવા મળ્યું. એક સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને થાળીઓને બદલે કાગળના ટુકડા પર મધ્યાહન ભોજન પીરસવામાં આવતું હતું. બાળકો ધૂળવાળી જમીન પર બેસીને કાગળ પર ખાવાનું ખાતા જોવા મળ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.

midday Meal
https://x.com/Benarasiyaa

આજતકના અહેવાલ મુજબ, શ્યોપુર જિલ્લાના વિજયપુર બ્લોકના હલલપુર ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. એવો આરોપ છે કે નાના બાળકોને કાગળના ટુકડા પર મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં એ સ્પષ્ટ દેખાય છે. ઘણા બાળકો લાઇનમાં બેઠા છે. સ્વ-સહાયતા જૂથની મહિલાઓ કાગળના ટુકડા પર શાક અને રોટલી મૂકી રહી છે. કેટલાક બાળકો પોતાના હાથથી ભોજન ઉપાડી રહ્યા છે, જ્યારે અન્ય લોકો મુઠ્ઠીમાં કાગળ દબાવીને કાગળ પકડીને ખાઈ રહ્યા છે.

આ વીડિયો કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી શકે છે. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એમ.એલ. ગર્ગે તાત્કાલિક કાર્યવાહી કરતા શાળાના પ્રભારી ભોગીરામ ધાકડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. BRCC અને જનશિક્ષકને કારણદર્શક નોટિસ કારવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે મધ્યાહન ભોજન માટે જવાબદાર સ્વ-સહાયતા જૂથનો કરાર રદ કરવામાં આવ્યો છે. DEO એમએલ ગર્ગે કહ્યું કે, "આ ખૂબ જ ગંભીર અને અમાનવીય ઘટના છે. બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર સહન કરવામાં નહીં આવે. પૂરી તપાસ કરવવામાં આવી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, ગ્રામજનોનું કહેવું છે કે આ પહેલીવાર બન્યું નથી. પૂરતા વાસણો ન હોવાનો દાવો કરીને કાગળમાં ભોજન પીરસવામાં આવે છે. આ વખતે કોઈએ વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવાર 4 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે સ્વ-સહાયતા જૂથે ભોજન તૈયાર કરવાનો અને પીરસવાનો હતો. વાસણોના અભાવના બહાના હેઠળ બાળકોને કાગળમાં ભોજન આપવામાં આવ્યું હતું.

midday Meal
https://x.com/Benarasiyaa

મધ્ય પ્રદેશ દેશના એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં મોટી સંખ્યામાં બાળકો કુપોષણથી પીડાય છે. આ અમારો દાવો નથી, પરંતુ રાજ્ય સરકાર પોતે કહે છે. ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસના ધારાસભ્ય આતિફ આરીફ અકીલે વિધાનસભામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ગૃહમાં સરકારનો જવાબ ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી નિર્મલા ભૂરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 1,36,000 બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યા છે, જેમાંથી 29,000થી વધુ બાળકો અતિ કુપોષણથી ગ્રાસિત છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યસભાના સાંસદ ભીમ સિંહે કુપોષણ અંગે રાષ્ટ્રવ્યાપી આંકડા માગ્યા હતા. જવાબમાં સરકારે જે ડેટા આપ્યા તેમાં મધ્ય પ્રદેશનું નામ ટોચ પર જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.