- National
- નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના લગ્ન કરાવ્યા
નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના લગ્ન કરાવ્યા

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને હવે 9 દિવસ બાકી છે એ પહેલા નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના સામુહિક લગ્ન કરીને તેમને કન્યાદાન આપ્યું છે. આ પહેલા પણ જામનગરમાં પી- વેડીંગ કાર્યક્રમમાં અંબાણી પરિવારે ગામના લોકોને જમાડ્યા હતા.
પાલઘરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરીબ પરીવારની 50 દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ અંબાણી પરિવારે કર્યો હતો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા, ઇશા, આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.
દંપતિને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક કન્યાને સોનાનું મંગળસૂત્ર, વેડીંગ રીંગ, ઇયરીગં અને આખા વર્ષનું અનાજ, ઘરની તમામ સામગ્રી પુરી પાડવામાં આવી હતી.નીતા અંબાણીએ આ પ્રંસેગે કહ્યું હતું કે 50 દીકરીઓની વિદાય પછી અંબાણી પરિવારના લગ્ન પ્રસંગની શરૂઆત થઇ ગઇ છે.