નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના લગ્ન કરાવ્યા

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને હવે 9 દિવસ બાકી છે એ પહેલા નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના સામુહિક લગ્ન કરીને તેમને કન્યાદાન આપ્યું છે. આ પહેલા પણ જામનગરમાં પી- વેડીંગ કાર્યક્રમમાં અંબાણી પરિવારે ગામના લોકોને જમાડ્યા હતા.

પાલઘરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરીબ પરીવારની 50 દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ અંબાણી પરિવારે કર્યો હતો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા, ઇશા, આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.

દંપતિને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક કન્યાને સોનાનું મંગળસૂત્ર, વેડીંગ રીંગ, ઇયરીગં અને આખા વર્ષનું અનાજ, ઘરની તમામ સામગ્રી પુરી પાડવામાં આવી હતી.નીતા અંબાણીએ આ પ્રંસેગે કહ્યું હતું કે 50 દીકરીઓની વિદાય પછી અંબાણી પરિવારના  લગ્ન પ્રસંગની શરૂઆત થઇ  ગઇ છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.