આઠવલેએ કહ્યું, નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ, BJPએ કહ્યું નહીં લઈએ

 કેન્દ્રની NDA  સરકારના સાથી પક્ષ Republican Party of India (A)ના પ્રમુખ અને કેન્દ્રમાં સોશિયલ જસ્ટીસ એન્ડ એમપાવરના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ.નવા મહાગઠબંધનમાં તેમનો કોઇ ભાવ પુછતું નથી. તો બિહાર ભાજપના સિનિયર નેતાએ કહ્યું છે કે, ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

લોકસભા ચૂંટણી પહેલાં દેશના 26 વિપક્ષોએ ભેગા થઇને એક મહાગઠબંધન બનાવ્યું છે જેને  INDIA નામ આપવામાં આવ્યું છે.હવે આ મુદ્દા પર રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારે પાછા NDAમાં આવી જવું જોઇએ. વિપક્ષી ગઠબંધનમાં તેમનો તિરસ્કાર થઇ રહ્યો છે. NDAમાં તેમનું સ્વાગત કરવામાં આવશે.

આઠવલેએ કહ્યું કે INDIA ગઠબંધનમાં અનેક લોકો પ્રધાનમંત્રી પદના દાવેદાકર છે. એટલે નીતિશ કુમારની ત્યાં દાળ ગળવાની નથી.INDIA નામ રાખવા પર નીતિશે નારાજગી દર્શાવી હતી.

આઠવલેએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનને INDIA નામ આપવાથી ભારત દેશ નથી બની જતો. તેમનું જોડાણ ડેડ એલાયન્સ છે. તેમનાસાથે આવવાથી NDAને કોઈ ફરક નહીં પડે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત 350 સીટો સાથે સરકાર બનશે.કારણકે દેશની પ્રજા NDAની સાથે છે. 1 ઓગસ્ટે પુણેના કાર્યક્રમમાં શરદ પવાર અને PM મોદી એક મંચ પર ભેગા થવાના છે.

આઠવલેએ કહ્યું કે જ્યારે બંને દિગ્ગજ નેતાઓ મંચ પર ભેગા થશે તો અનેક વાતો થઇ શકે છે.મને લાગે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને શરદ પવાર વચ્ચે 2024ની ચૂંટણી સાથે લડવા વિશે પણ ચર્ચા થઇ શકે છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું કે PM મોદી વાત કરશે તો કદાચ શરદ પવારનું મન બદલાઇ પણ જાય. અજિત પવાર તો અમારી સાથે જ છે.તેમણે કહ્યું કે વિપક્ષના લોકો મણિપુર જઇ શકે છે તો તેમને રાજસ્થાન, બંગાળ, છત્તીસગઢ જવામાં શું વાંધો છે?  વિપક્ષ મણિપુર જઇને શું રિપોર્ટ આપે છે તેની પર વિચારણા થશે.

તો બીજી તરફ બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, રામદાસ આઠવલે ન તો ભાજપના પ્રવક્તા છે કે ન તો NDAના. તેમનું કેન્દ્રીય મંત્રી અને તેમની પાર્ટીના નેતા તરીકે વ્યક્તિગત મંતવ્ય હોય શકે છે. સુશીલ મોદીએ કહ્યું કે,ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.