6 મોત બાદ નૂહમાં મંજૂરી નથી છતા શોભાયાત્રા કાઢવા માટે હિંદુ સંગઠનોની જીદ કેમ?

હરિયાણાના નૂહમાં હિંદુ સંગઠનો 28મી ઓગસ્ટે ફરી એકવાર 'શોભાયાત્રા' કાઢવા માટે જીદ પકડીને બેઠા છે. નૂહ જિલ્લા પ્રશાસને આ માટે પરવાનગી આપી નથી. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે પણ મીડિયાને જણાવ્યું હતું કે નૂહ હિંસા પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજ મંડળ શોભાયાત્રાને ને મંજૂરી આપવામાં આવી નથી. ગયા વખતે જુલાઇ મહિનામાં જ્યારે શોભાયાત્રા નિકળી હતી ત્યારે નૂહમાં હિંસા ભડકી ઉઠી હતી અને તેમાં 6 લોકોના મોત થયા હતા. બીજી વખત શોભાયાત્રા કાઢવાની જાહેરાત પછી નૂહમાં ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે અને 24થી 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

હરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે 27 ઓગસ્ટે મીડિયાને કહ્યુ હતું કે તાજેતરમાં નૂહમાં જે ઘટના બની તેને ધ્યાનમાં રાખીને કાનૂન વ્યવસ્થાની દ્રષ્ટિએ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રાવણનો મહિનો છે, બધા લોકોની શ્રદ્ધા છે એટલે મંદિરોમાં જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવી છે. બધા લોકો પોતપોતાના સ્થાનિક મંદિરોમાં જળાભિષેક કરી શકશે.

શોભાયાત્રાને પરવાનગી નહીં હોવા છતા વિશ્વ હિંદુ પરિષદ 28 ઓગસ્ટે શોભાયાત્રા કાઢવા માટે અડગ છે. વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે, અમને કોઇ મંજૂરીની જરૂરત નથી. વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ સુરેન્દ્ર જૈને દાવો કર્યો કે આ વિસ્તારના મુસલમાનોએ સહયોગ આપવાની વાત કરી છે. જૈને કહ્યું કે, 28 ઓગસ્ટે નૂહમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. આવા ધાર્મિક આયોજનો માટે તંત્રની પરવાનગી લેવાની કોઇ આવશ્યક્તા નથી. તંત્રને યાત્રા વિશે જાણકારી આપવામાં આવશે, કારણકે અમે એવું નથી ઇચ્છતા કે G-20 કાર્યકર્મ પર કોઇ અસર પડે. તેમણે કહ્યુ કે આ યાત્રા માત્ર વિશ્વ હિંદુ પરિષદની નથી, પરંતુ મેવાતના સમગ્ર હિંદુ સમાજ દ્રારા કાઢવામાં આવવાની છે. શાંતિપૂર્ણ યાત્રા કાઢવાની અમારી અપેક્ષા છે.

હિંદુ સંગઠનોની જીદ જોઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે અને ઇન્ટરનેટ ઉપરાંત SMS સેવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન કોલ કરવાની સુવિધા ચાલું રહેશે.

 

હરિયાણાના DCP શત્રુજીત કપુરે કહ્યુ કે 3થી 7 સપ્ટેમ્બર દરમિયાન નૂહમાં G-20 શેરપા સમૂહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. તેમણે કહ્યુ કે, 28 ઓગસ્ટે નૂહમાં શાળા, કોલેજો, બેંકો બંધ રહેશે. લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધારા 144નો કડકાઇથી અમલ કરવામાં આવશે. કોઇ પણ વ્યક્તિને લાયન્સ હથિયાર,, લાઠી, કુહાડી કોઇ પણ પ્રકારના હથિયારો લઇ જવાની પરવાનગી નથી.

તો બીજી તરફ ગુરુગ્રામ પોલીસે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી છે કે શોભાયાત્રામાં સામેલ ન થાય. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બ્રજ મંડળ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. એટલે ગુરુગ્રામ પોલીસને બધા લોકોને અપીલ છે કે આ શોભાયાત્રામાં સામેલ ન થાય.

કોંગ્રેસે કહ્યું છે કે આ યાત્રા પર કોઇને આપત્તિ ન હોવી જોઇએ. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, યાત્રા કરવી દરેકનો અધિકાર છે અને તેની સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. પરંતુ સરકારે આની ગંભીરતા દાખવીને સર્તકતા રાખવી પડશે. ગયા વખતે સરકારને ખબર હોવા છતા સુરક્ષાના યોગ્ય પગલા લેવામાં નહોતા આવ્યા. ઉશ્કેરણી જનક નિવેદનોને કારણે હિંસા થઇ હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.