‘હવે તમે હિન્દુ હોવાનું પ્રમાણ આપો..’, જાણો અવિમુક્તેશ્વરાનંદે કંઈ વાતને લઈને તંત્રને 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું

મૌની અમાવાસ્યા પર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તંત્ર પર જોરદાર પ્રહાર કર્યો અને નવી શરતો રાખી દીધી. તેમણે માંગ કરી કે, ‘40 દિવસમાં ગૌમાંસની નિકાસ બંધ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીને બદલે, હવે હું લખનૌમાં બેસીશ.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘માઘનો મુદ્દો હવે પાછળ છૂટી ગયો છે. મેં મંત્રીને બધું જણાવી દીધું છે. માફી કઈ વાતની? 11 દિવસ તક આપી. માફી માગવાનો સમય હવે પૂરો થઈ ગયો. અધિકારીઓ માફી માંગી રહ્યા નહોતા, તેઓ અમને લોભ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ 10-11 માર્ચે સંતો સાથે લખનૌ જશે. 11 માર્ચે સંતો સાથે ત્યાં જ નિર્ણય લેશે. તેમણે મુખ્યમંત્રી તંત્ર પાસે માંગ કરી કે, ગૌમાંસની નિકાસ બંધ કરો.

Avimukteshwaranand1
ndtv.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે, તેમની પાસે શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા અને તેમને 24 કલાકમાં જણાવવા કહેવામાં આવ્યું હતું. અને પછી કહેવામાં આવ્યું કે તેમને મેળામાં પ્રવેશથી કેમ ન વંચિત કરી દેવામાં આવે. તેમણે જવાબ આપી દીધો હતો, અને તેમનો જવાબ હજુ સુધી નકારવામાં આવ્યો નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનો જવાબ સાચો હતો.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘તમે મારી પાસેથી પુરાવા માંગ્યા છે, પરંતુ હવે તમારે પણ પુરાવા આપવા પડશે. તમારે પણ સાબિત કરવું પડશે કે તમે હિન્દુ છો. તેમણે પ્રહાર કરતા કહ્યું કે હિન્દુત્વ માત્ર ભાષણથી પ્રાપ્ત થતું નથી. તેમણે સવાલ કર્યો કે, ‘તમે ગૌ સેવા માટે શું કર્યું છે? આ હિન્દુત્વનું પહેલું પગલું છે. હિન્દુ હોવાની પહેલી શરત છે, ગાય માતાના રક્ષક હોવું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘40 દિવસનો સમય આપી રહ્યા છીએ કે પોતે હિન્દુ અને ગૌ ભક્ત હોવાના પુરાવા આપો.

Avimukteshwaranand3
thestatesman.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કટાક્ષ કરતા કહ્યું કે ગૌ માતાનું માંસ વેચીને ડોલરથી રામ રાજ્ય બનાવશે. ગૌમાતાના માંસને ભેંસનું માંસ ગણાવીને તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. 40 દિવસમાં, તમે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, જો તમે આમ ન કરી શક્યા, તો તમને નકલી હિન્દુ કરાર આપવામાં આવશે.

પ્રયાગરાજમાં ફરીથી સ્નાન કરવાના પ્રશ્ન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે તે બધી બાબતો પાછળ છૂટી ગઈ છે. હવે વાત અસલી હિન્દુ અને નકલી હિન્દુની છે. અધિકારીઓ તરફથી આ વાત આવી હતી, પરંતુ તેઓ આગળ ન આવ્યા. તેઓ અમને ઘણી વાતો કહેવા માંગતા હતા, પરંતુ તેમણે સ્વીકાર્યું નહીં.

About The Author

Related Posts

Top News

રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

આજે, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ, દેશના અર્થતંત્રને આકાર આપતું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી...
Business 
રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

શું છે STT? બજેટમાં જેના વધારાની જાહેરાત થતા શેરબજારમાં ભૂકંપ આવી ગયો

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ ભાષણ દરમિયાન કરવામાં આવેલી એક જાહેરાતે શેરબજારમાં અફરાતફરી મચાવી દીધી છે. આઈટી સેક્ટર માટેની...
Business 
શું છે STT? બજેટમાં જેના વધારાની જાહેરાત થતા શેરબજારમાં ભૂકંપ આવી ગયો

બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું કેન્દ્રિય બજેટ 2026-27 લોકસભામાં રજૂ કર્યું. આ તેમનું નવમું બજેટ હતું અને વિશેષ વાત...
Business 
બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

પશ્ચિમ બંગાળની રહેવાસી નૂરજહાં ખાતૂન અને આયેશા જ્યારે UPના સંભલમાં આવી ત્યારે તેમની ઓળખ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. અહીં...
National 
UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.