‘હવે તમે હિન્દુ હોવાનું પ્રમાણ આપો..’, જાણો અવિમુક્તેશ્વરાનંદે કંઈ વાતને લઈને તંત્રને 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું

મૌની અમાવાસ્યા પર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તંત્ર પર જોરદાર પ્રહાર કર્યો અને નવી શરતો રાખી દીધી. તેમણે માંગ કરી કે, ‘40 દિવસમાં ગૌમાંસની નિકાસ બંધ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીને બદલે, હવે હું લખનૌમાં બેસીશ.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘માઘનો મુદ્દો હવે પાછળ છૂટી ગયો છે. મેં મંત્રીને બધું જણાવી દીધું છે. માફી કઈ વાતની? 11 દિવસ તક આપી. માફી માગવાનો સમય હવે પૂરો થઈ ગયો. અધિકારીઓ માફી માંગી રહ્યા નહોતા, તેઓ અમને લોભ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ 10-11 માર્ચે સંતો સાથે લખનૌ જશે. 11 માર્ચે સંતો સાથે ત્યાં જ નિર્ણય લેશે. તેમણે મુખ્યમંત્રી તંત્ર પાસે માંગ કરી કે, ગૌમાંસની નિકાસ બંધ કરો.

Avimukteshwaranand1
ndtv.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે, તેમની પાસે શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા અને તેમને 24 કલાકમાં જણાવવા કહેવામાં આવ્યું હતું. અને પછી કહેવામાં આવ્યું કે તેમને મેળામાં પ્રવેશથી કેમ ન વંચિત કરી દેવામાં આવે. તેમણે જવાબ આપી દીધો હતો, અને તેમનો જવાબ હજુ સુધી નકારવામાં આવ્યો નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનો જવાબ સાચો હતો.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘તમે મારી પાસેથી પુરાવા માંગ્યા છે, પરંતુ હવે તમારે પણ પુરાવા આપવા પડશે. તમારે પણ સાબિત કરવું પડશે કે તમે હિન્દુ છો. તેમણે પ્રહાર કરતા કહ્યું કે હિન્દુત્વ માત્ર ભાષણથી પ્રાપ્ત થતું નથી. તેમણે સવાલ કર્યો કે, ‘તમે ગૌ સેવા માટે શું કર્યું છે? આ હિન્દુત્વનું પહેલું પગલું છે. હિન્દુ હોવાની પહેલી શરત છે, ગાય માતાના રક્ષક હોવું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘40 દિવસનો સમય આપી રહ્યા છીએ કે પોતે હિન્દુ અને ગૌ ભક્ત હોવાના પુરાવા આપો.

Avimukteshwaranand3
thestatesman.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કટાક્ષ કરતા કહ્યું કે ગૌ માતાનું માંસ વેચીને ડોલરથી રામ રાજ્ય બનાવશે. ગૌમાતાના માંસને ભેંસનું માંસ ગણાવીને તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. 40 દિવસમાં, તમે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, જો તમે આમ ન કરી શક્યા, તો તમને નકલી હિન્દુ કરાર આપવામાં આવશે.

પ્રયાગરાજમાં ફરીથી સ્નાન કરવાના પ્રશ્ન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે તે બધી બાબતો પાછળ છૂટી ગઈ છે. હવે વાત અસલી હિન્દુ અને નકલી હિન્દુની છે. અધિકારીઓ તરફથી આ વાત આવી હતી, પરંતુ તેઓ આગળ ન આવ્યા. તેઓ અમને ઘણી વાતો કહેવા માંગતા હતા, પરંતુ તેમણે સ્વીકાર્યું નહીં.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.