‘હવે તમે હિન્દુ હોવાનું પ્રમાણ આપો..’, જાણો અવિમુક્તેશ્વરાનંદે કંઈ વાતને લઈને તંત્રને 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું

મૌની અમાવાસ્યા પર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તંત્ર પર જોરદાર પ્રહાર કર્યો અને નવી શરતો રાખી દીધી. તેમણે માંગ કરી કે, ‘40 દિવસમાં ગૌમાંસની નિકાસ બંધ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીને બદલે, હવે હું લખનૌમાં બેસીશ.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘માઘનો મુદ્દો હવે પાછળ છૂટી ગયો છે. મેં મંત્રીને બધું જણાવી દીધું છે. માફી કઈ વાતની? 11 દિવસ તક આપી. માફી માગવાનો સમય હવે પૂરો થઈ ગયો. અધિકારીઓ માફી માંગી રહ્યા નહોતા, તેઓ અમને લોભ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ 10-11 માર્ચે સંતો સાથે લખનૌ જશે. 11 માર્ચે સંતો સાથે ત્યાં જ નિર્ણય લેશે. તેમણે મુખ્યમંત્રી તંત્ર પાસે માંગ કરી કે, ગૌમાંસની નિકાસ બંધ કરો.

Avimukteshwaranand1
ndtv.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે, તેમની પાસે શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા અને તેમને 24 કલાકમાં જણાવવા કહેવામાં આવ્યું હતું. અને પછી કહેવામાં આવ્યું કે તેમને મેળામાં પ્રવેશથી કેમ ન વંચિત કરી દેવામાં આવે. તેમણે જવાબ આપી દીધો હતો, અને તેમનો જવાબ હજુ સુધી નકારવામાં આવ્યો નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનો જવાબ સાચો હતો.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘તમે મારી પાસેથી પુરાવા માંગ્યા છે, પરંતુ હવે તમારે પણ પુરાવા આપવા પડશે. તમારે પણ સાબિત કરવું પડશે કે તમે હિન્દુ છો. તેમણે પ્રહાર કરતા કહ્યું કે હિન્દુત્વ માત્ર ભાષણથી પ્રાપ્ત થતું નથી. તેમણે સવાલ કર્યો કે, ‘તમે ગૌ સેવા માટે શું કર્યું છે? આ હિન્દુત્વનું પહેલું પગલું છે. હિન્દુ હોવાની પહેલી શરત છે, ગાય માતાના રક્ષક હોવું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘40 દિવસનો સમય આપી રહ્યા છીએ કે પોતે હિન્દુ અને ગૌ ભક્ત હોવાના પુરાવા આપો.

Avimukteshwaranand3
thestatesman.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કટાક્ષ કરતા કહ્યું કે ગૌ માતાનું માંસ વેચીને ડોલરથી રામ રાજ્ય બનાવશે. ગૌમાતાના માંસને ભેંસનું માંસ ગણાવીને તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. 40 દિવસમાં, તમે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, જો તમે આમ ન કરી શક્યા, તો તમને નકલી હિન્દુ કરાર આપવામાં આવશે.

પ્રયાગરાજમાં ફરીથી સ્નાન કરવાના પ્રશ્ન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે તે બધી બાબતો પાછળ છૂટી ગઈ છે. હવે વાત અસલી હિન્દુ અને નકલી હિન્દુની છે. અધિકારીઓ તરફથી આ વાત આવી હતી, પરંતુ તેઓ આગળ ન આવ્યા. તેઓ અમને ઘણી વાતો કહેવા માંગતા હતા, પરંતુ તેમણે સ્વીકાર્યું નહીં.

About The Author

Related Posts

Top News

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત...
Tech and Auto 
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે...
Opinion 
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.