ટોલ નાકા પર કબજો, આખરે ખેડૂતો ધરણા પર કેમ ઉતરી રહ્યા છે

આખા દેશમાં આ સમયે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જ્યાં એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં થનારા કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ઘઉં સહિત અન્ય રવિ પાકોને નુકસાન પહોંચી રહ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના ખેડૂત પણ આ સમયે આ સમસ્યાથી લડી રહ્યા છે જ્યાં દરેક ખેડૂતોના રવિ પાક પ્રભાવિત થઇ રહ્યા છે. ત્યાર પછી વ્યક્તિ હવે વળતરની માગ કરવા લાગ્યા છે. જોકે, તેમની માગ પર અત્યાર સુધી કોઇ સુનાવણી નથી થઇ.

હવે એ જ વાતથી નારાજ થઇને ખેડૂતો ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે જ્યાં તેમણે કમોસમી વરસાદના કારણે બરબાદ થનારા પાક માટે સરકાર પાસેથી વળતરની માગ કરી છે. ચૂરુ જિલ્લાના ખેડૂત વીમા ક્લેમની માગને લઇને પણ સડકો પર ઉતરી આવ્યા હતા. ચુરુમાં રવિવાર એટલે 23મી એપ્રિલના રોજ 6 સૂત્રીય માગોની સાથે ખેડૂત ટોલ નાકા પર કબજો જમાવ્યો છે. હરિયાણા, દિલ્હીથી જોડાયેલી દરેક સડકોને આ દરમિયાન ખેડૂતોએ જામ કરી દીધો છે. એટલું જ નહીં આ દરમિયાન ખેડૂતોએ માગ ન માનવા પર ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી દીધી છે.

એ કડીમાં રવિવારના રોજ ચૂરૂ જિલ્લાની દરેક સડકો, હાઇવે, કાચા રસ્તા અને ટોલ પ્લાઝા પર ખેડૂતોએ કબજો જમાવ્યો છે. ખેડૂત આ દરમિયાન પોતાના વિમાના ક્લેમની માગને લઇને સડકો પર જામી ગયા છે. પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સડકો પર ખાટલા પાથરી દીધા અને ત્યાં જ જામી ગયા છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, ઘણા લાંબા સમયથી તેમના પાક બરબાદ થઇ રહ્યા છે અને તેઓ વીમાના ક્લેમની માગ કરી રહ્યા છે. પણ સરકાર તેમની માગ સાંભળી નથી રહી. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, ફક્ત સરકારને ચેતવવા માટે સાંકેતિક જામ શરૂ થઇ ગયો છે. જો હજુ પણ સરકારે ખેડૂતોની માગ ન માની તો આ પ્રદર્શન ઉગ્ર થઇ શકે છે.

આ સમયે સ્થિતિને જોતા પ્રદર્શન સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે જેથી યાતાયાત સુચારૂ રૂપે ચાલતો રહે અને માર્ગો પરથી વાહનોને ડાઇવર્ટ કરી શકાય. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો જમા થયા છે કે, જેમણે પોતાની માગને લઇને અલ્ટિમેટમ પણ આપ્યું છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.