જે કોણાર્ક ચક્ર PM મોદીએ વૈશ્વિક નેતાઓને દેખાડ્યું તે આપણી જીવનચર્યા સાથે...

કોણાર્કનું સૂર્ય મંદિર પોતાની પથરીલી કલાકૃતિઓ માટે જાણીતું છે. આ મંદિર સૂર્યના વિશાળકાય રથની જેમ બનાવવામાં આવ્યું છે, જેને 7 ઘોડા ખેંચે છે. આ રથમાં 12 જોડી પૈંડા છે એટલે કે કુલ મળીને 24 પૈંડા. દરેક પૈંડા પર શાનદાર નકશી છે, પરંતુ આ પૈંડા આપણી જીવનચર્યા સાથે સંબંધિત વૈજ્ઞાનિક વાતો બતાવે છે. આ પૈંડા બતાવે છે કે કેવી રીતે આખી દુનિયા સૂર્યની ઊર્જાથી ચાલે છે. અહી દરેક પૈંડાનો વ્યાસ એટલે કે ડાયમીટર 9.9 ફૂટ છે. દરેક પૈંડામાં 8 મોટી અને 8 પાતળી પટ્ટીઓ છે. આ પૈંડા કોણાર્કના સૂર્ય મંદિર જનારા લોકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. હવે આ મંદિર ખાસ કેમ છે, આ પૈંડા જરૂરી કેમ છે સમજો.

7 ઘોડા એટલે કે અઠવાડિયાના 7 દિવસ, 12 પૈંડા એટલે કે વર્ષના 12 મહિના, જ્યારે તેની જોડી એટલે કે 24 પૈંડા મતલબ દિવસના 24 કલાક, એ સિવાય 8 મોટી પટ્ટીઓ 8 પ્રહર એટલે કે દરેક 3 કલાકના સમયને દર્શાવે છે. હકીકતમાં આ પૈંડાઓને જીવનાના પૈંડા કહેવામાં આવે છે. તેમાં એ પણ ખબર પડે છે કે સૂર્ય ક્યારે ઊગશે, ક્યારે અસ્ત થશે. આ પૈંડાને 12મી સદીના રાજ્ય નરસિંમ્હાદેવ પ્રથમે બનાવ્યા હતા. દરેક પૈંડામાં 8 મોટી પટ્ટીઓ છે. દરેક પટ્ટી વચ્ચે 30 દાણા બનાવવામાં આવ્યા છે. દરેક દાણા 3 મિનિટનો સમય બતાવે છે, જે ત્રણ કલાકનો સમય બતાવે છે એટલે કે 180 મિનિટ.

દરેક મોટી પટ્ટીઓ દોઢ કલાકનો સમય બતાવે છે એટલે કે 90 મિનિટ. વચ્ચોવચ ઉપર તરફ જે મોટી પટ્ટી છે તે રાતના 12:00 વાગ્યાનો સમય બતાવે છે. માત્ર એટલું જ નહીં, 12 પૈંડા માત્ર 12 મહિના દેખાડતા નથી, પરંતુ તેઓ 12 રાશિઓને પણ દર્શાવે છે. તેને કાયદાનું પૈડું પણ કહેવામાં આવે છે. દરેક પૈંડાનો આકાર સમાન છે, પરંતુ દરેક પૈંડામાં અલગ-અલગ કહાનીઓ કંડારવામાં આવી છે. પૈંડાની વચ્ચે બનેલી ગોળાકાર નકશી ઓ અલગ-અલગ વસ્તુ બતાવે છે.

પૈંડાનું કે જેન્દ્ર એટલે કે એક્સેલ છે તે એક ફૂટ બહાર નીકળેલું છે. રિમ પર ફૂલ-પાંદડાં બનેલા છે. પક્ષીઓ અને પશુઓને કંડારવામાં આવ્યા છે. પહોળી પટ્ટીઓ વચ્ચે બનેલી ગોળાકાર આકૃતિઓમાં મહિલાઓની અલગ-અલગ મુદ્રાઓ બનેલી છે જે તેમના જીવનના અલગ-અલગ કાર્યો દેખાડે છે. હકીકતમાં આ પૈંડા સન ડાયલ છે જેથી તમે સમય જોઈ શકો. 24 પૈંડામાંથી 2 પૈંડા એવા છે જે તમને સમય બતાવે છે. તે સૂરજના ઊગવાથી લઈને સૂરજના અસ્ત સુધીનો સંપૂર્ણ સમય બતાવે છે. જો પૈંડાના એક્સેલ વચ્ચે આંગળીઓ રાખો છો તો તમારી આંગળીનો પડછાયો તમને એકદમ યોગ્ય સમય દેખાડી દેશે.

ઓરિસ્સાની ઉચ્ચ સાંસ્કૃતિક પરંપરાઓના કારણે ભારત સરકારે કોણાર્કને જૂના 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટ પર પણ છાપી છે. 5 જાન્યુઆરી 2018ના રોજ RBIએ 10 રૂપિયાની નોટની સામે તરફ મહાત્મા ગાંધી અને પાછળની તરફ કોણાર્કના પૈંડાની તસવીરો લગાવવાની જાહેરાત કરી હતી. 20 રૂપિયાની જૂની નોટ પર પણ એ બન્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.