પતંજલિની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, જાણો કઇ બાબતે થયું ગુસ્સે

પતંજલિ આયુર્વેદની જાહેરાતો સામે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે. કોર્ટે રોગોની સારવાર અંગે ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે, તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે જાહેરાતોમાં છપાયેલી તસવીરોના આધારે નોટિસ બહાર પાડી છે.

સુપ્રીમ કોર્ટે પતંજલિની જાહેરાતો પર કેન્દ્ર સરકારને ઘેરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર આંખો બંધ કરીને બેઠી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે, સરકારે તાત્કાલિક કેટલાક પગલાં લેવા પડશે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના ડાયરેક્ટરને કારણ બતાવો નોટિસ મોકલી આપી છે અને પૂછ્યું છે કે, તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ન આવે. કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે રોગોના ઈલાજનો દાવો કરતી પતંજલિની મેડિકલ પ્રોડક્ટ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું છે કે, તેમણે શું કાર્યવાહી કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પતંજલિ આયુર્વેદની જાહેરાતોમાં કાયમી રાહત શબ્દ પોતે જ ભ્રામક અને કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે, આજથી તમે કોઈ ભ્રામક જાહેરાત નહીં આપો અને પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ આવી જાહેરાત નહીં આપો. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે એલોપેથી પર કેવી રીતે ટિપ્પણી કરી શકો છો, જ્યારે અમે તેમને મનાઈ ફરમાવી હતી? તેના પર પતંજલિએ કોર્ટને કહ્યું કે, અમે 50 કરોડ રૂપિયાની રિસર્ચ લેબ બનાવી છે. તેના પર કોર્ટે પતંજલિને કહ્યું છે કે, તમે માત્ર સામાન્ય જાહેરાતો જ આપી શકો છો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે બે લોકોને પક્ષ તરીકે બનાવીશું, જેમના ફોટા જાહેરાતમાં છે. તેમને નોટિસ મોકલવામાં આવશે. તેઓએ વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે, અમે એ જાણવા નથી માંગતા કે કોણ શું છે? અમે પક્ષકાર બનાવીશું. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે કોઈપણ પ્રકારની ભ્રામક જાહેરાતને સહન કરીશું નહીં, પછી ભલે તે કોઈ પણ હોય.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ છતાં જાહેરાતો પ્રકાશિત થતા કોર્ટ ગુસ્સે થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા ખુદ અખબાર લઈને કોર્ટમાં આવ્યા હતા. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે, કોર્ટના આદેશ પછી પણ તમારામાં આ જાહેરાત લાવવાની હિંમત કરી છે. અમે ખૂબ જ કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો. ન્યાયાધીશે કહ્યું કે, તમે કેવી રીતે કહી શકો કે, તમે રોગ મટાડશો? અમારી ચેતવણીઓ છતાં, તમે કહો છો કે અમારી વસ્તુઓ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે? કેન્દ્ર સરકારે પણ આ અંગે પગલાં લેવા જોઈએ.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.