દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગયા જિલ્લાના ગહલોર ગામની મુલાકાત લીધી હતી.. આ ગામ માઉન્ટેન મેન કહેવાતા દશરથ માંઝીનું ગામ છે. રાહુલ ગાંધી અહીં તેમના પરિવારને મળ્યા અને દશરથ માંઝીના જીવન અને સંઘર્ષને યાદ કર્યા. ગહલોર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પહેલા દશરથ માંઝીની પ્રતિમાને ફૂલ-માળા અર્પણ કરી. પછી તેઓ તેમના ઘરે ગયા, જ્યાં તેમણે માંઝીના પુત્ર ભાગીરથ માંઝી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી. રાહુલે લગભગ 10 મિનિટ તેમની સાથે વિતાવી અને તેમના હાલચાલ જાણ્યા. ત્યારબાદ, તેઓ દશરથ માંઝી સ્મૃતિ ભવન અને તે સ્થળ પર પણ ગયા, જ્યાં માંઝીએ પર્વત કાપીને રસ્તો બનાવ્યો હતો.

Rahul-Gandhi1
ANI

 

રાહુલ ગાંધી જ્યારે રાજગીર જવા રવાના થયા, તો તેમણે માંઝીના પુત્ર ભાગીરથને પણ પોતાની સાથે કારમાં બેસાડ્યો. પરિવારને રાહુલની આ મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે. ભાગીરથ માંઝીએ કહ્યું કે તેમને આશા છે કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં બોધગયા સીટ પરથી તેની પુત્રી અંશુ કુમારીને ટિકિટ આપશે.

અંશુ પોતે પણ ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. તેણે કહ્યું કે રાહુલ ગાંધી પાસેથી તેમને આશા છે કે તેમનો પરિવાર હવે વધુ સારું જીવન જીવી શકશે. હાલમાં બોધગયા સીટ પરથી RJDના કુમાર સર્બજીત ધારાસભ્ય છે, એવામાં કોંગ્રેસ સામે સીટ વહેંચણીને લઈને પડકાર ઊભો થઈ શકે છે. રાહુલ ગાંધીના ગહલોર ગામ પહોંચ્યા બાદ, દશરથ માંઝીના પરિવારજનોને આશા જાગી છે કે તેમના દિવસ આવશે અને પરિવારનું ભલું થશે.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.