‘સાહેબ... ખૂબ ઠંડી લાગી રહી છે, રજા આપી દો’, બાળકોની ફરિયાદ સાંભળી પીગળી ગયા DM’, મંચ પરથી જ કરી દીધી જાહેરાત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઠંડી અને ખરાબ હવામાનના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોને સવારે શાળાએ જવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડી, ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે બાળકો સતત રજા માંગી રહ્યા હતા. તેને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે ભાવનાત્મક અને માનવતાવાદી નિર્ણય લીધો, જેનાથી બાળકોને મોટી રાહત મળી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટે એક કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે બાળકોને તેમની પરેશાનીઓ અંગે પૂછ્યું અને જાણ્યું કે ઠંડીના કારણે તેમના માટે શાળાએ આવવા-જવાનું મુશ્કેલ બની રહ્યું છે. બાળકોએ ખચકાટ વિના વાત કરી, અને કહ્યું કે, ઠંડી ખૂબ છે. બાળકોની માસૂમ વાતો અને તેમના ચહેરા પર દેખાતી તકલીફ જોઈને, જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્ટેજ પરથી જ 2 દિવસની રજા જાહેર કરી દીધી.

school1
amarujala.com

છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સતત ખરાબ રહ્યું છે. ગાઢ ધુમ્મસ, તેજ ઠંડા પવનો અને સવારે ઘટતા તાપમાનથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી હતી. ઘણા બાળકોએ હિંમત કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને સીધા સંદેશા મોકલ્યા હતા. આ સંદેશાઓમાં બાળકોએ સરળ શબ્દોમાં લખ્યું હતું કે, ‘DM અંકલ, ખૂબ ઠંડી છે, રજા આપી દો.’ જિલ્લા મેજિસ્ટ્રેટે આ સંદેશાઓને હળવાશથી ન લીધા. તેમણે બાળકોની પરેશાનીને ગંભીરતાથી સમજી અને સ્થળ પર તેમની સાથે વાત કર્યા બાદ, નિર્ણય લીધો કે તેમને ઠંડીના વાતાવરણમાં રાહત આપવી જોઈએ.

જિલ્લા મેજિસ્ટ્રેટની જાહેરાત મુજબ, નર્સરીથી લઈને ધોરણ 12 સુધીની બધી શાળાઓ 2 દિવસ માટે બંધ રહેશે. આ જાહેરાત થતા જ બાળકોના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે  તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટનો ખૂબ આભાર માન્યો. આ અચાનક રજાથી બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. કેટલાક બાળકો ખુશીથી કૂદતા જોવા મળ્યા, જ્યારે અન્ય લોકોએ તેને યાદગાર ક્ષણ તરીકે ગણાવી. બાળકોએ કહ્યું કે આ પહેલી વાર હતું જ્યારે કોઈ અધિકારીએ તેમની વાત સાંભળી અને તાત્કાલિક નિર્ણય લીધો.

school2
livehindustan.com

આ નિર્ણય માત્ર એક રજાની જાહેરાત નહોતી, પરંતુ બાળકો પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીનું ઉદાહરણ પણ હતું. ઠંડીની ઋતુમાં બાળકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડે છે. એવામાં, જિલ્લા મેજિસ્ટ્રેટનું આ પગલું માતા-પિતા માટે પણ રાહતભર્યું સાબિત થયું. વાલીઓએ પણ આ નિર્ણયને બિરદાવ્યો અને કહ્યું કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી બે દિવસની રજાની ભેટ મળતા બાળકોનો આ કાર્યક્રમ કાયમી સાંભરણું બની ગયું.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.