રાહુલ ગાંધીને ઓવૈસીએ વાયનાડ છોડીને આ સીટ પર ચૂંટણી લડવા ખુલ્લો પડકાર આપ્યો

એક તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન એટલે કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેમને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે નરસિંહ રાવ સરકાર દરમિયાન થયેલા બાબરી ધ્વંસ પર પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ઓવૈસીએ કહ્યું, 'હું તમારા નેતા (રાહુલ ગાંધી)ને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું. તમે બહુ મોટી મોટી વાત કરો છો, તો ચાલો જમીન પર આવો અને અમારી સાથે મુકાબલો કરો. કોંગ્રેસના લોકો ઘણી વાતો કરશે, પરંતુ હું તૈયાર છું..., જ્યારે બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે ત્યાં કોંગ્રેસ જ હતી...' રાહુલ વાયનાડથી સાંસદ છે.

ઓવૈસીએ મહિલા આરક્ષણને લઈને પણ ઘણી પાર્ટીઓને નિશાન બનાવી હતી જે તાજેતરમાં સંસદના બંને ગૃહોમાં પસાર થઈ હતી. તેમણે કહ્યું, '...કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ યાદવની પાર્ટી (RJD)ના નેતાઓ સંસદમાં મુસ્લિમોનું નામ લેતા ડરે છે. હું ઉભો થયો અને કહ્યું કે મુસ્લિમ અને OBC મહિલાઓને પણ અનામત મળવી જોઈએ…' તેઓ મને કહેતા રહ્યા કે હું મહિલાઓની વિરુદ્ધ છું, પરંતુ સત્ય એ છે કે, તમે મહિલાઓ, OBC અને મુસ્લિમોની વિરુદ્ધ છો….'

આ દરમિયાન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધુરીના નિવેદનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, 'તે દિવસ દૂર નથી જ્યારે દેશની સંસદમાં મુસ્લિમોની મોબ લિંચિંગ થશે.' તેમણે PM નરેન્દ્ર મોદીના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. બિધુરીએ બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

રાહુલે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીતની વાત કરી છે. કોંગ્રેસની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતા રાહુલે કહ્યું, 'હું કહીશ કે અત્યારે અમે કદાચ તેલંગાણા જીતી રહ્યા છીએ, અમે ચોક્કસપણે મધ્ય પ્રદેશ જીતી રહ્યા છીએ, અમે ચોક્કસપણે છત્તીસગઢ જીતી રહ્યા છીએ. રાજસ્થાનમાં ખૂબ જ નજીકની હરીફાઈ છે અને અમને લાગે છે કે અમે જીતીશું. એવું જ લાગી પણ રહ્યું છે અને BJP પણ આંતરિક રીતે એવું જ કહી રહી છે.'

INDIA ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કેરળની વાયનાડ બેઠક પણ પાર્ટીઓના રડાર પર આવી રહી છે. એવા અહેવાલ છે કે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે CPIએ રાહુલને વાયનાડ બેઠક પરથી ચૂંટણી ન લડવાનું સૂચન કર્યું છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસ અને CPI વચ્ચે સીધો મુકાબલો થવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.