PM કેયર્સમાં કરોડોનું વિદેશી ફંડિંગ, ક્યાં ખર્ચવામાં આવ્યા નાણા? મળી આ જાણકારી

પીએમ કેયર્સ ફંડમાં ભારે ભરકમ વિદેશી ફંડિંગની જાણકારી સામે આવી છે. ત્રણ વર્ષોની અંદર ફંડમાં વિદેશથી 535.44 કરોડ રૂપિયા નાંખવામાં આવ્યા છે. (PM Cares Foreign Funding). તેના પર 24.85 કરોડ રૂપિયાનું વ્યાજ પણ આવ્યું છે. 2020-21 દરમિયાન સૌથી વધુ વિદેશી ફંડિંગ મળ્યું છે. આશરે 500 કરોડ રૂપિયા. એ પણ જાણકારી મળી છે કે, આ ફંડમાંથી અત્યારસુધી ક્યાં- ક્યાં ખર્ચ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસે તમામ આંકડાઓ પર રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ જાણકારી પીએમ કેયર્સ ફંડની રસીદ અને ચુકવણી ખાતાના ઓફિશિયલ રેકોર્ડ પરથી લેવામાં આવી છે. જાણકારી મળી છે કે,

  • નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 40 લાખ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું
  • નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 494.92 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું
  • નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 40.12 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું.

જણાવી દઈએ કે, ત્રણ વર્ષોમાં એટલે કે નાણાકીય વર્ષ 2019-2020, 2020-2021 અને 2021-2022 માં પીએમ કેયર્સ ફંડમાં કુલ 12691.82 કરોડ રૂપિયા ભેગા થયા. ખર્ચ કર્યા બાદ 31 માર્ચ, 2022 સુધી ફંડમાં 5415.65 કરોડ રૂપિયા બચ્યા હતા.

ક્યાં- ક્યાં ખર્ચ કરવામાં આવ્યા પીએમ કેયર્સ ફંડના રૂપિયા?

પીએમ કેયર્સ ફંડના પૈસા સરકારી હોસ્પિટલોના વેન્ટિલેટર, પ્રવાસીઓના વેલફેર અને 500 બેડવાળી બે અસ્થાયી કોવિડ હોસ્પિટલોની સ્થાપનામાં આ નાણા ખર્ચવામાં આવ્યા. આ ઉપરાંત, તેનો એક મોટો હિસ્સો 162 મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના, કોવિડ-19 વેક્સિનની ખરીદી અને અન્ય કોવિડ સંબંધી સપ્લાઈ પર પણ આ નાણાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કઈ રીતે થઈ પીએમ કેયર્સ ફંડની શરૂઆત?

દેશમાં લોકડાઉન લાગવાના ત્રણ દિવસ બાદ એટલે કે 27 માર્ચ, 2020ના રોજ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની જેમ પીએમ કેયર્સ ફંડનું રજિસ્ટ્રેશન થયુ હતું. મહામારીને પગલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી અથવા સંકટ આવવાની સ્થિતિમાં તેની સામે લડવા અને પ્રભાવિતોને રાહત આપવાના સારા ઇરાદા સાથે આ પીએમ કેયર્સ ફંડની શરૂઆત કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 અંતર્ગત ફંડ પર 100 ટકા ટેક્સની છૂટ છે. પીએમ કેયર્સ ફંડને FCRA અંતર્ગત છૂટ મળી છે. એટલું જ નહીં, વિદેશી ફંડિંગ રિસીવ કરવા માટે એક અલગ ખાતું ખોલવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.