કૌભાંડનો દાયકો, ડબલ ડિજિટ મોંઘવારી, આતંકી હુમલા, સંસદમાં કોંગ્રેસ પર PMનો હુમલો

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીએ સંબોધન આપ્યું હતું. લોકસભામાં PM મોદીએ કહ્યું, કાલે હું જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણની સાથે આખી ઈકોસિસ્ટમ ઉછળી રહી હતી. વડાપ્રધાને કહ્યું, વિપક્ષના નફરતના ભાવ બહાર આવી ગયા છે. PM મોદીએ કહ્યું- દેશમાં કેટલાક લોકો નિરાશામાં ડૂબ્યા, દેશની પ્રગતિનો સ્વીકાર નથી કરી શકતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશની ઉપલબ્ધિઓ ગણાવી, સાથે જ વિપક્ષ પર પણ નિશાનો સાધ્યો. PMએ કહ્યું, આજે આખા વિશ્વમાં ભારતને લઈને પોઝિટિવિટી, આશા અને વિશ્વાસ છે. એ ખુશીની વાત છે કે આજે ભારતને G20ની અધ્યક્ષતાનો અવસર મળ્યો છે. આ દેશ અને 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે પરંતુ, મને લાગે છે કે કદાચ તેનાથી કેટલાક લોકોને દુઃખ છે. તેઓ આત્મનિરીક્ષણ કરે કે તેઓ કોણ લોકો છે.

PM મોદીએ લોકસભામાં કહ્યું કે, ભારતમાં નવી સંભાવનાઓ છે. ઘણા લોકોને એ વાત સમજવામાં મોડું થયુ, પરંતુ ભારત સપ્લાઈ ચેનના મામલામાં આગળ વધી ગયુ છે. ભારત મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. દુનિયા ભારતની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ જોઈ રહ્યું છે. નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો આ દેશની પ્રગતિનો સ્વીકાર નથી કરી શકતા. 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ અને પરિશ્રમ ઉપલબ્ધિ તેમને દેખાઈ નથી રહ્યા.

PMએ કહ્યું, છેલ્લાં નવ વર્ષમાં ભારતમાં 90 હજાર સ્ટાર્ટઅપ આવ્યા છે. આજે સ્ટાર્ટઅપના મામલામાં આપણે દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છીએ. ઘણી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ દેશના ટિયર-3 શહેરો સુધી પહોંચી ચુકી છે. આટલા ઓછાં સમયમાં અને કોરોનાના વિકટ કાલખંડમાં 108 યૂનિકોર્ન બન્યા. એક યૂનિકોર્ન એટલે કે છ-સાત હજાર કરોડ કરતા વધુનું મૂલ્ય છે. આજે ભારત દુનિયામાં મોબાઈલ બનાવવામાં બીજો મોટો દેશ બની ગયો છે. ઘરેલૂં વિમાન યાત્રિઓના મામલામાં આપણે દુનિયામાં ત્રીજા નંબર પર છીએ.

PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન UPA સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કોંગ્રેસ સરકારના સમયને ઘોટાળાનો દાયકો ગણાવ્યો. PM મોદીએ કહ્યું, 2004થી 2014 આઝાદી બાદ સૌથી વધુ ઘોટાળાનો દાયકો રહ્યો. તેમજ, 10 વર્ષ કાશ્મીરથી કન્યાકુમારી, ભારતના દરેક ખૂણામાં આતંકી હુમલા થતા રહ્યા. PMએ કહ્યું, એ જ સૂચના ચાલતી રહી કે અજાણી વસ્તુને હાથ ના લગાવતા. 10 વર્ષમાં કાશ્મીરથી નોર્થ ઈસ્ટ સુધી હિંસા જ હિંસા. ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે દુનિયા સાંભળવા માટે તૈયાર નહોતી. તેમની નિરાશાનું કારણ એ પણ છે કે આજે દેશના 140 કરોડ લોકોનું સામર્થ્ય ખીલી રહ્યું છે. 2004થી 2014 સુધી તેમણે એ તકો ગુમાવી દીધી અને દરેક અવસરને મુસીબતમાં પલટી દીધી.

PMએ આ દરમિયાન હેલિકોપ્ટર ઘોટાળો, કોલસા સ્કેમ, આતંકી હુમલા, ડબલ ડિજિટમાં મોંઘવારી જેવા મુદ્દા પર UPA સરકારને ઘેરી. PM મોદીએ કહ્યું, 2014થી પહેલા લોસ્ટ ડિકેડ હતું પરંતુ, 2030 સુધી ઈન્ડિયાસ ડિકેડ હશે. PM મોદીએ UPA સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, જ્યારે ન્યૂક્લિયર ડીલ પર વાત થઈ રહી હતી, ત્યારે તે નોટ ફોર વોટમાં અટવાયા હતા. 2 જી, કોલ સ્કેમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઘોટાળાના કારણે દુનિયામાં દેશ બદનામ થયો. તેમણે કહ્યું કે, 2004થી 2014ના દાયકામાં દેશને મોટું નુકસાન થયું. 2030નો દાયકો ભારતનો છે. PM મોદીએ કહ્યું કે, તેમા આતંક પર પલટવાર કરવાનું સાહસ નહોતું. દેશના નાગરિકનું 10 વર્ષ સુધી લોહી વહ્યું.

તેમણે કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે. લોકતંત્ર આપણા લોહીમાં છે. ટીકા થવી જોઈએ પરંતુ, તેમણે નવ વર્ષ આરોપોમાં ગુમાવી દીધા. ચૂંટણી હારી જાય તો EVMને દોષ, ભ્રષ્ટાચારની તપાસ થાય તો એજન્સીઓને ગાળો. EDનો આભાર માનવો જોઈએ કે તેમણે આ લોકોને એક મંચ પર લાવી દીધા છે. જે કામ દેશના મતદાતા ના કરી શક્યા. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે. તેમના ભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની વાતોને વણી લીધી. તેમના ભાષણે એક પ્રકારે દેશને પ્રેરણા પણ આપી. અહીં તમામે આ ચર્ચામાં ભાગ લીધો. તમામે પોતાની પ્રવૃત્તિ અને સમજ પ્રમાણે વાત કરી. તેના દ્વારા તેમના ઈરાદા પણ પ્રકટ થયા. દેશની જનતાએ બધુ જ જોયુ.

વડાપ્રધાનનું સંબોધન શરૂ થતા પહેલા સદનમાં વિપક્ષી સભ્યોએ અદાણી મુદ્દા પર જેપીસી તપાસની માંગને લઈને પ્લેકાર્ડ બતાવ્યા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ ટોક્યા અને કહ્યું કે, તમને નેમ કરવામાં આવી શકે છે. ત્યારબાદ બીઆરએસ સભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી દીધુ. PM મોદીએ સંસદમાં કહ્યું, હું કાલે જોઈ રહ્યો હતો. કેટલાક લોકોના ભાષણો બાદ કેટલાક લોકો ખુશીથી કહી રહ્યા હતા, આ થઈને વાત. કદાચ તેઓ સારી રીતે ઊંઘ્યા અને (સમય પર) ઉઠી ના શક્યા. તેમના માટે કહેવામાં આવ્યું છે, આવુ કહીને આપણે દિલને મનાવી રહ્યા છીએ, તેઓ હવે ચાલી ચુક્યા છે, તેઓ હવે આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.