રામ મંદિર મામલે PM મોદીએ મંત્રીઓને એવી સલાહ આપી કે જે ભગવાન રામને પણ ગમશે

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિવેદનબાજીન લઈને સાવચેત રહેવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંગળવારે મંત્રીઓને નિવેદનબાજીથી બચવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સાવધાન રહો. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, આસ્થા દેખાડો, પણ અગ્રેશન નહીં. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિર્દેશ આપ્યા કે બધા નિવેદનબાજીથી બચે અને મર્યાદાનો ખ્યાલ રાખે.

તેમણે કહ્યું કે, પોત પોતાના ક્ષેત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડી ન થાય, તેનું ધ્યાન રાખો. પોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી બાદ રામલલાના દર્શન કરાવવા લાવો. વધુમાં વધુ લોકોને પ્રભુ શ્રીરામના આશીર્વાદ અપાવો. આ અગાઉ મોદી સરકારની કેન્દ્રીય મંત્રી મંડળે અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ કરવાના પ્રસ્તાવને શુક્રવારે મંજૂરી આપી દીધી હતી.

એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રી મંડળની બેઠકમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2023ના રોજ એરપોર્ટનું ઉદ્વઘાટન કર્યું હતું. એક સત્તાવાર નિવેદન મુજબ એરપોર્ટનું મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકિને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે રામાયણ મહાકાવ્યની રચના કરી હતી. આ નામથી એરપોર્ટની ઓળખમાં એક સાંસ્કૃતિક ભાવ પણ જોડાઈ ગયો છે.

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તની ક્ષણ 84 સેકન્ડની છે જે 12 વાગીને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી હશે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ દરમિયાન ગર્ભ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય 4 લોકો ઉપસ્થિત રહેશે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.