રામ મંદિર મામલે PM મોદીએ મંત્રીઓને એવી સલાહ આપી કે જે ભગવાન રામને પણ ગમશે

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિવેદનબાજીન લઈને સાવચેત રહેવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંગળવારે મંત્રીઓને નિવેદનબાજીથી બચવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સાવધાન રહો. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, આસ્થા દેખાડો, પણ અગ્રેશન નહીં. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિર્દેશ આપ્યા કે બધા નિવેદનબાજીથી બચે અને મર્યાદાનો ખ્યાલ રાખે.

તેમણે કહ્યું કે, પોત પોતાના ક્ષેત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડી ન થાય, તેનું ધ્યાન રાખો. પોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી બાદ રામલલાના દર્શન કરાવવા લાવો. વધુમાં વધુ લોકોને પ્રભુ શ્રીરામના આશીર્વાદ અપાવો. આ અગાઉ મોદી સરકારની કેન્દ્રીય મંત્રી મંડળે અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ કરવાના પ્રસ્તાવને શુક્રવારે મંજૂરી આપી દીધી હતી.

એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રી મંડળની બેઠકમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2023ના રોજ એરપોર્ટનું ઉદ્વઘાટન કર્યું હતું. એક સત્તાવાર નિવેદન મુજબ એરપોર્ટનું મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકિને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે રામાયણ મહાકાવ્યની રચના કરી હતી. આ નામથી એરપોર્ટની ઓળખમાં એક સાંસ્કૃતિક ભાવ પણ જોડાઈ ગયો છે.

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તની ક્ષણ 84 સેકન્ડની છે જે 12 વાગીને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી હશે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ દરમિયાન ગર્ભ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય 4 લોકો ઉપસ્થિત રહેશે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.