જેલમાંથી ફિલ્મી અંદાજમાં ભાગી ગયા 5 કેદી, તોડ્યા લોખંડ સળિયા અને પછી..

જેલમાંથી 5 કેદી ફરાર થઇ ગયા છે. જેથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ છે. પોલીસને સમજણ પડી રહી નથી કે આખરે એમ થયું કઇ રીતે. અલગ અલગ ગુના હતા, અલગ અલગ જેલની અંદર ગયા હતા. પાંચેયએ એક સાથે મળીને જેલ તોડીને ભાગવાની પ્લાનિંગ કરી હતી. એ પણ ઇંટથી બનેલી દીવાલ નહીં તેમણે ફિલ્મી અંદાજમાં લોખંડના સળિયા જ તોડી દીધા અને પછી ફરાર થઇ ગયા. ચાલો આગળ જાણીએ શું છે આખી કહાની.

આસામના મોરીગાંવ જિલ્લાથી શુક્રવારે સવારે 5 વિધારાધીન કેદી ફરાર થઇ ગયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મોરીગાંવના જિલ્લા કમિશનર દેવાશીષ શર્માએ મીડિયાને જણાવ્યું કે કેદીઓના જેલથી ભાગી જવાની ઘટના રાતના 1:00 અને 2:00 વાગ્યા વચ્ચે થઇ હતી. પાંચેય વિધારાધીન કેદી POCSO એક્ટ હેઠળ આરોપી છે. તેમને મોરીગાંવ અને સોનિતપુર જિલ્લાઓથી ધરપકડ કરવામાં આવી હતી. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેદીઓએ લોખંડના સળિયા (ગ્રીલ) તોડી દીધી અને પછી ચાદર, ધાબળા અને લુંગીને દોરડાના રૂપમાં ઉપાયોગ કરીને તેઓ જેલની 20 ફૂટ ઊંચી દીવાલથી નીચે ઉતરી ગયા.

તેમણે વધુમાં કહ્યું કે, ફરાર કેદીઓની ધરપકડ કરવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, તપાસમાં એ જાણકારી મેળવવામાં આવશે કે જેલ સુરક્ષાકર્મીઓ તરફથી કોઇ ચૂંક તો નથી થઇ. આ પાંચ લોકોમાં 3 વિરુદ્ધ લહરીઘાટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે, જ્યારે અન્ય 2ની મોઇરાબારી અને તેજપુર પોલીસ સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી.

Related Posts

Top News

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.