મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મુદ્દે ભાજપ અને એનડીએ ગઠબંધને કોંગ્રેસ સહિત વિપક્ષી 'ઇન્ડિયા' બ્લોક પર 'મહિલા વિરોધી' હોવાનો આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. ભાજપના નેતાઓ આ દિવસને 'કાળો દિવસ' ગણાવી રહ્યા છે અને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ અને આરોપો મૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે જે બિલ લાવવામાં આવ્યું હતું તે ખરેખર મહિલા અનામત માટે નહીં, પણ સીમાંકન (સીટોની ફેરબદલ) માટે હતું. તેમણે કહ્યું- અમે વિચારી રહ્યા હતા કે આટલી બધી ઉતાવળ શું છે? અચાનક સત્ર કેમ બોલાવવામાં આવ્યું? પાંચ રાજ્યોમાં ચૂંટણી છે અને સરકારને ગમે તેમ કરીને સત્તા જોઈએ છે. તેમણે આરોપ લગાવ્યો કે બિલનો ડ્રાફ્ટ માત્ર એક દિવસ પહેલા જ કેમ જાહેર કરવામાં આવ્યો?

01

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે- ભાજપ મહિલાઓના નામે સત્તામાં રહેવા માંગે છે, પણ મહિલાઓ મૂર્ખ નથી. મણિપુરની ઘટના, ઉન્નાવ કાંડ અને મહિલા કુસ્તીબાજો સાથે જે થયું ત્યારે કોઈ પૂછવા નહોતું ગયું. 'મહિલાઓના મસીહા' બનવું એટલું સહેલું નથી. સરકાર જાણતી હતી કે આ બિલ પાસ નહીં થાય. આ એક ષડયંત્ર હતું કે જો બિલ પાસ થાય તો મસીહા બની જવું અને જો ન થાય તો વિપક્ષને મહિલા વિરોધી ગણાવવા. અમે સરકારના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે જો સરકાર ખરેખર મહિલાઓને હક આપવા માંગતી હોય, તો 2023માં સર્વસંમતિથી પસાર થયેલું બિલ જ લાગુ કરવું જોઈએ. તેમણે કહ્યું જો 2029ની ચૂંટણીથી જ મહિલાઓને અનામત આપવી હોય, તો 2023ના બિલમાં જરૂરી નાના-મોટા સુધારા કરીને તેને લાવો. અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીશું.

02

સીમાંકન (Delimitation) અંગેના સવાલ પર તેમણે કહ્યું કે સરકાર પોતાની સત્તા બચાવવા માટે બેઠકોની ભૂગોળ બદલવાનું કાવતરું કરી રહી છે, જેની કોઈ જરૂર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જનતા મોંઘવારીથી પરેશાન છે અને બધું જોઈ રહી છે. 2029ની ચૂંટણીમાં અનામત વગર પણ 33% મહિલાઓ ચૂંટણી લડશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે યાદ અપાવ્યું કે યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 'લડકી હૂં, લડ શકતી હૂં' નારા સાથે 40% મહિલાઓને ટિકિટ આપી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.