મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મુદ્દે ભાજપ અને એનડીએ ગઠબંધને કોંગ્રેસ સહિત વિપક્ષી 'ઇન્ડિયા' બ્લોક પર 'મહિલા વિરોધી' હોવાનો આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. ભાજપના નેતાઓ આ દિવસને 'કાળો દિવસ' ગણાવી રહ્યા છે અને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ અને આરોપો મૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે જે બિલ લાવવામાં આવ્યું હતું તે ખરેખર મહિલા અનામત માટે નહીં, પણ સીમાંકન (સીટોની ફેરબદલ) માટે હતું. તેમણે કહ્યું- અમે વિચારી રહ્યા હતા કે આટલી બધી ઉતાવળ શું છે? અચાનક સત્ર કેમ બોલાવવામાં આવ્યું? પાંચ રાજ્યોમાં ચૂંટણી છે અને સરકારને ગમે તેમ કરીને સત્તા જોઈએ છે. તેમણે આરોપ લગાવ્યો કે બિલનો ડ્રાફ્ટ માત્ર એક દિવસ પહેલા જ કેમ જાહેર કરવામાં આવ્યો?

01

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે- ભાજપ મહિલાઓના નામે સત્તામાં રહેવા માંગે છે, પણ મહિલાઓ મૂર્ખ નથી. મણિપુરની ઘટના, ઉન્નાવ કાંડ અને મહિલા કુસ્તીબાજો સાથે જે થયું ત્યારે કોઈ પૂછવા નહોતું ગયું. 'મહિલાઓના મસીહા' બનવું એટલું સહેલું નથી. સરકાર જાણતી હતી કે આ બિલ પાસ નહીં થાય. આ એક ષડયંત્ર હતું કે જો બિલ પાસ થાય તો મસીહા બની જવું અને જો ન થાય તો વિપક્ષને મહિલા વિરોધી ગણાવવા. અમે સરકારના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે જો સરકાર ખરેખર મહિલાઓને હક આપવા માંગતી હોય, તો 2023માં સર્વસંમતિથી પસાર થયેલું બિલ જ લાગુ કરવું જોઈએ. તેમણે કહ્યું જો 2029ની ચૂંટણીથી જ મહિલાઓને અનામત આપવી હોય, તો 2023ના બિલમાં જરૂરી નાના-મોટા સુધારા કરીને તેને લાવો. અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીશું.

02

સીમાંકન (Delimitation) અંગેના સવાલ પર તેમણે કહ્યું કે સરકાર પોતાની સત્તા બચાવવા માટે બેઠકોની ભૂગોળ બદલવાનું કાવતરું કરી રહી છે, જેની કોઈ જરૂર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જનતા મોંઘવારીથી પરેશાન છે અને બધું જોઈ રહી છે. 2029ની ચૂંટણીમાં અનામત વગર પણ 33% મહિલાઓ ચૂંટણી લડશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે યાદ અપાવ્યું કે યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 'લડકી હૂં, લડ શકતી હૂં' નારા સાથે 40% મહિલાઓને ટિકિટ આપી હતી.

About The Author

Related Posts

Top News

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયો છે. B-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી યુઝવેન્દ્ર ચહલના સંદેશાઓ જાહેર...
Entertainment 
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે  અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની...
National 
મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2025માં કહ્યું હતું કે જો મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન...
National 
SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.