શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

મહારાષ્ટ્રના ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરના પંજાબ અને હરિયાણાના ઘઉંમાં સેલેનિયમની વધુ માત્રાને કારણે વાળ ખરવાનું કારણ બતાવવાના દાવા પર પ્રતિક્રિયા આપતા ખેડૂત નેતાઓ અને કૃષિ વિશેષજ્ઞોએ જળમૂળથી નકારી દીધો છે. ડૉક્ટર બાવસ્કરે દાવો કર્યો હતો કે, પંજાબ અને હરિયાણાથી આવનારા ઘઉંમાં સેલેનિયમની માત્રા વધુ હોવાને કારણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં યુવાઓ તેજીથી ટકલા થઈ રહ્યા છે.

Buldhana
english.jagran.com

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર રણજીત સિંહ ધૂમને કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, પંજાબે હરિતક્રાંતિ લાવી અને દાયકાઓથી દેશને અનાજ આપ્યું. જે ઘઉં પંજાબમાં ખવાઇ રહ્યું છે અને ઉગાડવામાં આવી રહ્યું છે, એજ આખા દેશમાં જાય છે. જો તેમાં કોઈ પરેશાની હોત તો સૌથી પહેલા પંજાબના લોકોમાં અસર દેખાતી. આ કોઈ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાનું રિસર્ચ નથી, પરંતુ માત્ર એક વ્યક્તિનો દાવો છે.

Buldhana
english.jagran.com

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, અમારા વાળ લાંબા અને જાડા છે. જો એવા ઘઉં હોત તો સૌથી પહેલા અમે પ્રભાવિત થતા. આજ સુધી અમે એવી વાત સાંભળી નથી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ડૉક્ટર બાવસ્કરે જાન્યુઆરીમાં બુલઢાણાના 200 ગ્રામજનોમાં અચાનક વાળ ખરી જવાના સમાચાર મળ્યા બાદ પોતાના સ્તર પર એક રિસર્ચ કર્યું હતું, જેના પર તેમણે લગભગ 92,000 રૂપિયા ખર્ચ કર્યા. 25 અને 26 જાન્યુઆરીએ તેમણે પ્રભાવિત ગામોમાંથી બ્લડ, યુરીન અને ઘઉંના સેમ્પલ એકત્ર કર્યા હતા. જોકે આ દાવાને લઈને હવે ખેડૂત સંગઠનો અને કૃષિ વિશેષજ્ઞોએ ડૉક્ટર બાવસ્કરની થિયોરીને નકારતા કહ્યું છે કે આ આધારહીન અને વૈજ્ઞાનિક પ્રમાણો વિરુદ્ધ છે.

About The Author

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.