શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

મહારાષ્ટ્રના ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરના પંજાબ અને હરિયાણાના ઘઉંમાં સેલેનિયમની વધુ માત્રાને કારણે વાળ ખરવાનું કારણ બતાવવાના દાવા પર પ્રતિક્રિયા આપતા ખેડૂત નેતાઓ અને કૃષિ વિશેષજ્ઞોએ જળમૂળથી નકારી દીધો છે. ડૉક્ટર બાવસ્કરે દાવો કર્યો હતો કે, પંજાબ અને હરિયાણાથી આવનારા ઘઉંમાં સેલેનિયમની માત્રા વધુ હોવાને કારણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં યુવાઓ તેજીથી ટકલા થઈ રહ્યા છે.

Buldhana
english.jagran.com

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર રણજીત સિંહ ધૂમને કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, પંજાબે હરિતક્રાંતિ લાવી અને દાયકાઓથી દેશને અનાજ આપ્યું. જે ઘઉં પંજાબમાં ખવાઇ રહ્યું છે અને ઉગાડવામાં આવી રહ્યું છે, એજ આખા દેશમાં જાય છે. જો તેમાં કોઈ પરેશાની હોત તો સૌથી પહેલા પંજાબના લોકોમાં અસર દેખાતી. આ કોઈ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાનું રિસર્ચ નથી, પરંતુ માત્ર એક વ્યક્તિનો દાવો છે.

Buldhana
english.jagran.com

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, અમારા વાળ લાંબા અને જાડા છે. જો એવા ઘઉં હોત તો સૌથી પહેલા અમે પ્રભાવિત થતા. આજ સુધી અમે એવી વાત સાંભળી નથી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ડૉક્ટર બાવસ્કરે જાન્યુઆરીમાં બુલઢાણાના 200 ગ્રામજનોમાં અચાનક વાળ ખરી જવાના સમાચાર મળ્યા બાદ પોતાના સ્તર પર એક રિસર્ચ કર્યું હતું, જેના પર તેમણે લગભગ 92,000 રૂપિયા ખર્ચ કર્યા. 25 અને 26 જાન્યુઆરીએ તેમણે પ્રભાવિત ગામોમાંથી બ્લડ, યુરીન અને ઘઉંના સેમ્પલ એકત્ર કર્યા હતા. જોકે આ દાવાને લઈને હવે ખેડૂત સંગઠનો અને કૃષિ વિશેષજ્ઞોએ ડૉક્ટર બાવસ્કરની થિયોરીને નકારતા કહ્યું છે કે આ આધારહીન અને વૈજ્ઞાનિક પ્રમાણો વિરુદ્ધ છે.

About The Author

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.