શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

મહારાષ્ટ્રના ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરના પંજાબ અને હરિયાણાના ઘઉંમાં સેલેનિયમની વધુ માત્રાને કારણે વાળ ખરવાનું કારણ બતાવવાના દાવા પર પ્રતિક્રિયા આપતા ખેડૂત નેતાઓ અને કૃષિ વિશેષજ્ઞોએ જળમૂળથી નકારી દીધો છે. ડૉક્ટર બાવસ્કરે દાવો કર્યો હતો કે, પંજાબ અને હરિયાણાથી આવનારા ઘઉંમાં સેલેનિયમની માત્રા વધુ હોવાને કારણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં યુવાઓ તેજીથી ટકલા થઈ રહ્યા છે.

Buldhana
english.jagran.com

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર રણજીત સિંહ ધૂમને કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, પંજાબે હરિતક્રાંતિ લાવી અને દાયકાઓથી દેશને અનાજ આપ્યું. જે ઘઉં પંજાબમાં ખવાઇ રહ્યું છે અને ઉગાડવામાં આવી રહ્યું છે, એજ આખા દેશમાં જાય છે. જો તેમાં કોઈ પરેશાની હોત તો સૌથી પહેલા પંજાબના લોકોમાં અસર દેખાતી. આ કોઈ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાનું રિસર્ચ નથી, પરંતુ માત્ર એક વ્યક્તિનો દાવો છે.

Buldhana
english.jagran.com

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, અમારા વાળ લાંબા અને જાડા છે. જો એવા ઘઉં હોત તો સૌથી પહેલા અમે પ્રભાવિત થતા. આજ સુધી અમે એવી વાત સાંભળી નથી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ડૉક્ટર બાવસ્કરે જાન્યુઆરીમાં બુલઢાણાના 200 ગ્રામજનોમાં અચાનક વાળ ખરી જવાના સમાચાર મળ્યા બાદ પોતાના સ્તર પર એક રિસર્ચ કર્યું હતું, જેના પર તેમણે લગભગ 92,000 રૂપિયા ખર્ચ કર્યા. 25 અને 26 જાન્યુઆરીએ તેમણે પ્રભાવિત ગામોમાંથી બ્લડ, યુરીન અને ઘઉંના સેમ્પલ એકત્ર કર્યા હતા. જોકે આ દાવાને લઈને હવે ખેડૂત સંગઠનો અને કૃષિ વિશેષજ્ઞોએ ડૉક્ટર બાવસ્કરની થિયોરીને નકારતા કહ્યું છે કે આ આધારહીન અને વૈજ્ઞાનિક પ્રમાણો વિરુદ્ધ છે.

Top News

રાજા રઘુવંશી કેસનું કોકડું ઉકેલાઈ ગયું! બધા આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમે જ...

રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો સ્વીકારી લીધો છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે, તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી છે...
National 
રાજા રઘુવંશી કેસનું કોકડું ઉકેલાઈ ગયું! બધા આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમે જ...

ઘોડા પર શ્વાન, મંડપ તૈયાર... હેડલાઇન્સમાં કૂતરા-કૂતરીના લગ્ન, કાર્ડ વહેંચાયા, આજે નીકળશે જાન

યુપીના હમીરપુર જિલ્લામાં એક અનોખા લગ્ન અચાનક ચર્ચાનો વિષય બન્યા. હિન્દુ વિધિથી થઈ રહેલા આ લગ્ન વિશે જેણે સાંભળ્યું તે...
National 
ઘોડા પર શ્વાન, મંડપ તૈયાર... હેડલાઇન્સમાં કૂતરા-કૂતરીના લગ્ન, કાર્ડ વહેંચાયા,  આજે નીકળશે જાન

અનિલ અંબાણીના શેર આટલા ઝડપથી કેમ ઉપર જઈ રહ્યા છે? 3 મહિનામાં 100 ટકા વધ્યા

એક સમયે દેવામાં ડૂબેલા અને વિવાદોમાં ફસાયેલા અનિલ અંબાણી શેરબજારમાં પાછા ફરી રહ્યા હોય તેવું લાગે છે. તેમની બે કંપનીઓ...
Business 
અનિલ અંબાણીના શેર આટલા ઝડપથી કેમ ઉપર જઈ રહ્યા છે? 3 મહિનામાં 100 ટકા વધ્યા

હવે આટલા રૂપિયાના UPI વ્યવહાર પર વેપારી ફી વસૂલવામાં આવી શકે છે

જો તમે પણ તમારા મોટાભાગના શોપિંગ અને પરિવાર સંબંધિત ખર્ચ UPI દ્વારા કરો છો, તો આ સમાચાર તમારા માટે...
Business 
હવે આટલા રૂપિયાના UPI વ્યવહાર પર વેપારી ફી વસૂલવામાં આવી શકે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.