રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં, બધી પાર્ટીઓના નેતાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પટના પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ એકમના પદાધિકારીઓ સાથે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહેવા પર વિવાદ ઉભો થયો છે. આ વ્યક્તિ રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો હતો, જેને રાહુલ ગાંધીએ ઓર્થોપેડિક સર્જન ગણાવી દીધો હતો અને તેમણે પોતાને પણ ઓર્થોપેડિક સર્જન જ બતાવ્યા હતા. જોકે, ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિ એક કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi2
indiatoday.in

 

હકીકતમાં, પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલનનો આખો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કર્યો છે. વીડિયોના 25:40 મિનિટ પર, કાર્યક્રમના ઉદ્ઘોષક કે.પી. સિંહ નામના વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બતાવતા કાર્યક્રમને સંબોધિત કરવા બોલાવ્યા હતા. અત્યારબાદ આજ વીડિયોમાં 50:14 મિનિટ પર રાહુલ ગાંધીએ કે.પી. સિંહ નામના વ્યક્તિને પણ બોલાવ્યો અને વારંવાર તેમને ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખાવ્યો. જોકે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા છે, તે બેગૂસરાયમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi3
hindustantimes.com

 

તેને લઈને ભાજપના નેતા નીરજ કુમારે કહ્યું કે, 'રાહુલ ગાંધીને આપણે પપ્પુ કેમ કહીએ છીએ?' આજના ભાષણથી આ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં, રાહુલ ગાંધી સ્ટેજ પર જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા હતા, તે વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર નથી, પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં છે. તે બેગૂસરાયમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. રાહુલ ગાંધીને ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેનો તફાવત ખબર નથી અને તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. તમે આ નાટક બંધ કરો. અથવા જો તમારે ભાજપના સ્ટાર પ્રચારક બનીને રહેવું હોય તો બન્યા રહો. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે વિપક્ષના નેતા છો, તો દેશ તમારી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખે છે.

Related Posts

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.