રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં, બધી પાર્ટીઓના નેતાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પટના પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ એકમના પદાધિકારીઓ સાથે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહેવા પર વિવાદ ઉભો થયો છે. આ વ્યક્તિ રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો હતો, જેને રાહુલ ગાંધીએ ઓર્થોપેડિક સર્જન ગણાવી દીધો હતો અને તેમણે પોતાને પણ ઓર્થોપેડિક સર્જન જ બતાવ્યા હતા. જોકે, ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિ એક કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi2
indiatoday.in

 

હકીકતમાં, પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલનનો આખો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કર્યો છે. વીડિયોના 25:40 મિનિટ પર, કાર્યક્રમના ઉદ્ઘોષક કે.પી. સિંહ નામના વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બતાવતા કાર્યક્રમને સંબોધિત કરવા બોલાવ્યા હતા. અત્યારબાદ આજ વીડિયોમાં 50:14 મિનિટ પર રાહુલ ગાંધીએ કે.પી. સિંહ નામના વ્યક્તિને પણ બોલાવ્યો અને વારંવાર તેમને ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખાવ્યો. જોકે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા છે, તે બેગૂસરાયમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi3
hindustantimes.com

 

તેને લઈને ભાજપના નેતા નીરજ કુમારે કહ્યું કે, 'રાહુલ ગાંધીને આપણે પપ્પુ કેમ કહીએ છીએ?' આજના ભાષણથી આ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં, રાહુલ ગાંધી સ્ટેજ પર જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા હતા, તે વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર નથી, પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં છે. તે બેગૂસરાયમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. રાહુલ ગાંધીને ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેનો તફાવત ખબર નથી અને તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. તમે આ નાટક બંધ કરો. અથવા જો તમારે ભાજપના સ્ટાર પ્રચારક બનીને રહેવું હોય તો બન્યા રહો. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે વિપક્ષના નેતા છો, તો દેશ તમારી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખે છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.