- National
- રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'
રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં, બધી પાર્ટીઓના નેતાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પટના પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ એકમના પદાધિકારીઓ સાથે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહેવા પર વિવાદ ઉભો થયો છે. આ વ્યક્તિ રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો હતો, જેને રાહુલ ગાંધીએ ઓર્થોપેડિક સર્જન ગણાવી દીધો હતો અને તેમણે પોતાને પણ ઓર્થોપેડિક સર્જન જ બતાવ્યા હતા. જોકે, ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિ એક કમ્પાઉન્ડર હતો.

હકીકતમાં, પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલનનો આખો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કર્યો છે. વીડિયોના 25:40 મિનિટ પર, કાર્યક્રમના ઉદ્ઘોષક કે.પી. સિંહ નામના વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બતાવતા કાર્યક્રમને સંબોધિત કરવા બોલાવ્યા હતા. અત્યારબાદ આજ વીડિયોમાં 50:14 મિનિટ પર રાહુલ ગાંધીએ કે.પી. સિંહ નામના વ્યક્તિને પણ બોલાવ્યો અને વારંવાર તેમને ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખાવ્યો. જોકે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા છે, તે બેગૂસરાયમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો.

તેને લઈને ભાજપના નેતા નીરજ કુમારે કહ્યું કે, 'રાહુલ ગાંધીને આપણે પપ્પુ કેમ કહીએ છીએ?' આજના ભાષણથી આ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં, રાહુલ ગાંધી સ્ટેજ પર જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા હતા, તે વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર નથી, પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં છે. તે બેગૂસરાયમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. રાહુલ ગાંધીને ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેનો તફાવત ખબર નથી અને તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. તમે આ નાટક બંધ કરો. અથવા જો તમારે ભાજપના સ્ટાર પ્રચારક બનીને રહેવું હોય તો બન્યા રહો. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે વિપક્ષના નેતા છો, તો દેશ તમારી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખે છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Opinion
