રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં, બધી પાર્ટીઓના નેતાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પટના પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ એકમના પદાધિકારીઓ સાથે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહેવા પર વિવાદ ઉભો થયો છે. આ વ્યક્તિ રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો હતો, જેને રાહુલ ગાંધીએ ઓર્થોપેડિક સર્જન ગણાવી દીધો હતો અને તેમણે પોતાને પણ ઓર્થોપેડિક સર્જન જ બતાવ્યા હતા. જોકે, ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિ એક કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi2
indiatoday.in

 

હકીકતમાં, પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલનનો આખો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કર્યો છે. વીડિયોના 25:40 મિનિટ પર, કાર્યક્રમના ઉદ્ઘોષક કે.પી. સિંહ નામના વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બતાવતા કાર્યક્રમને સંબોધિત કરવા બોલાવ્યા હતા. અત્યારબાદ આજ વીડિયોમાં 50:14 મિનિટ પર રાહુલ ગાંધીએ કે.પી. સિંહ નામના વ્યક્તિને પણ બોલાવ્યો અને વારંવાર તેમને ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખાવ્યો. જોકે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા છે, તે બેગૂસરાયમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi3
hindustantimes.com

 

તેને લઈને ભાજપના નેતા નીરજ કુમારે કહ્યું કે, 'રાહુલ ગાંધીને આપણે પપ્પુ કેમ કહીએ છીએ?' આજના ભાષણથી આ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં, રાહુલ ગાંધી સ્ટેજ પર જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા હતા, તે વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર નથી, પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં છે. તે બેગૂસરાયમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. રાહુલ ગાંધીને ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેનો તફાવત ખબર નથી અને તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. તમે આ નાટક બંધ કરો. અથવા જો તમારે ભાજપના સ્ટાર પ્રચારક બનીને રહેવું હોય તો બન્યા રહો. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે વિપક્ષના નેતા છો, તો દેશ તમારી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખે છે.

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.