રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું

18 ડિસેમ્બરના રોજ  કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણય સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે.  તેમણે એક લેટર લખીને આક્ષેપ કર્યો છે કે સરકારે એક જ દિવસમાં 20 વર્ષ જૂની ‘મનરેગા’ (MGNREGA) યોજનાના મૂળભૂત માળખાને તોડી પાડ્યું છે. નવા અમલમાં આવેલા VB–G RAM G બિલ અંગે વિવેચકોનું કહેવું છે કે આ કોઈ સુધારો નથી, પરંતુ ગ્રામીણ મજૂરોને મળતા કાયદેસરના કામના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે.

રાહુલે કહ્યું અત્યાર સુધી મનરેગા એક ‘માંગ-આધારિત’ યોજના હતી, જેમાં ગ્રામીણ શ્રમિકો કામની માંગ કરે ત્યારે તેમને રોજગારી આપવાની ગેરંટી મળતી હતી. નવા ફેરફારો મુજબ હવે આ યોજના રેશનિંગ સ્કીમમાં ફેરવાઈ જશે, જેનું સીધું નિયંત્રણ દિલ્હીથી થશે. વિપક્ષનો દાવો છે કે આ પગલું રાજ્ય સરકારો અને ગ્રામ પંચાયતોની સત્તા છીનવી લેનારું અને ગ્રામીણ અર્થતંત્ર વિરોધી છે.

લેખમાં જણાવ્યા અનુસાર, મનરેગાએ ગ્રામીણ શ્રમિકોને શોષણ સામે લડવાની અને મજૂરીના દરમાં વધારો કરાવવાની શક્તિ આપી હતી. આ યોજનાને કારણે શ્રમિકોનું આર્થિક શોષણ ઘટ્યું હતું. સ્થળાંતર (Migration) પર અંકુશ આવ્યો હતો. ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો હતો. પરંતુ હવે કામના દિવસો પર મર્યાદા (Cap) મૂકીને અને કામ ન આપવા માટેના નવા બહાના ઊભા કરીને સરકારે ગરીબોના હાથમાં રહેલું એકમાત્ર શસ્ત્ર નબળું પાડ્યું છે.

MGNREGA
khabarchhe.com

કોવિડકાળમાં જ્યારે દેશ થંભી ગયો હતો, ત્યારે મનરેગાએ જ કરોડો લોકોને ભૂખમરા અને દેવામાં ડૂબતા બચાવ્યા હતા. આંકડા દર્શાવે છે કે આ યોજનામાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. નિષ્ણાતોના મતે, જ્યારે રોજગારીના કાર્યક્રમોમાં કાપ મૂકવામાં આવે છે, ત્યારે તેનો સૌથી મોટો ફટકો મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના ભૂમિહીન શ્રમિકોને પડે છે.

આ કાયદાને પસાર કરવાની પદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. વિપક્ષની માંગ હોવા છતાં આ બિલને 'સ્ટેન્ડિંગ કમિટી' પાસે મોકલવામાં આવ્યું નહોતું. નિષ્ણાતોનું કહેવું છે કે જે કાયદો કરોડો લોકોના જીવન અને સામાજિક કરાર સાથે જોડાયેલો હોય, તેને નિષ્ણાતોની સલાહ કે જાહેર સુનાવણી વિના પસાર કરવો લોકશાહી વિરોધી છે.

રાહુલે કહ્યું મનરેગા વિશ્વના સૌથી સફળ ગરીબી નિવારણ અને સશક્તિકરણ કાર્યક્રમોમાંનો એક છે. અમે આ સરકારને ગ્રામીણ ગરીબોના રક્ષણની છેલ્લી હરોળનો નાશ કરવા દઈશું નહીં. અમે આ પગલાને હરાવવા માટે કામદારો, પંચાયતો અને રાજ્યો સાથે ઉભા રહીશું અને આ કાયદાને પાછો ખેંચવા માટે રાષ્ટ્રવ્યાપી મોરચો બનાવીશું.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.