રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું

18 ડિસેમ્બરના રોજ  કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણય સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે.  તેમણે એક લેટર લખીને આક્ષેપ કર્યો છે કે સરકારે એક જ દિવસમાં 20 વર્ષ જૂની ‘મનરેગા’ (MGNREGA) યોજનાના મૂળભૂત માળખાને તોડી પાડ્યું છે. નવા અમલમાં આવેલા VB–G RAM G બિલ અંગે વિવેચકોનું કહેવું છે કે આ કોઈ સુધારો નથી, પરંતુ ગ્રામીણ મજૂરોને મળતા કાયદેસરના કામના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે.

રાહુલે કહ્યું અત્યાર સુધી મનરેગા એક ‘માંગ-આધારિત’ યોજના હતી, જેમાં ગ્રામીણ શ્રમિકો કામની માંગ કરે ત્યારે તેમને રોજગારી આપવાની ગેરંટી મળતી હતી. નવા ફેરફારો મુજબ હવે આ યોજના રેશનિંગ સ્કીમમાં ફેરવાઈ જશે, જેનું સીધું નિયંત્રણ દિલ્હીથી થશે. વિપક્ષનો દાવો છે કે આ પગલું રાજ્ય સરકારો અને ગ્રામ પંચાયતોની સત્તા છીનવી લેનારું અને ગ્રામીણ અર્થતંત્ર વિરોધી છે.

લેખમાં જણાવ્યા અનુસાર, મનરેગાએ ગ્રામીણ શ્રમિકોને શોષણ સામે લડવાની અને મજૂરીના દરમાં વધારો કરાવવાની શક્તિ આપી હતી. આ યોજનાને કારણે શ્રમિકોનું આર્થિક શોષણ ઘટ્યું હતું. સ્થળાંતર (Migration) પર અંકુશ આવ્યો હતો. ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો હતો. પરંતુ હવે કામના દિવસો પર મર્યાદા (Cap) મૂકીને અને કામ ન આપવા માટેના નવા બહાના ઊભા કરીને સરકારે ગરીબોના હાથમાં રહેલું એકમાત્ર શસ્ત્ર નબળું પાડ્યું છે.

MGNREGA
khabarchhe.com

કોવિડકાળમાં જ્યારે દેશ થંભી ગયો હતો, ત્યારે મનરેગાએ જ કરોડો લોકોને ભૂખમરા અને દેવામાં ડૂબતા બચાવ્યા હતા. આંકડા દર્શાવે છે કે આ યોજનામાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. નિષ્ણાતોના મતે, જ્યારે રોજગારીના કાર્યક્રમોમાં કાપ મૂકવામાં આવે છે, ત્યારે તેનો સૌથી મોટો ફટકો મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના ભૂમિહીન શ્રમિકોને પડે છે.

આ કાયદાને પસાર કરવાની પદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. વિપક્ષની માંગ હોવા છતાં આ બિલને 'સ્ટેન્ડિંગ કમિટી' પાસે મોકલવામાં આવ્યું નહોતું. નિષ્ણાતોનું કહેવું છે કે જે કાયદો કરોડો લોકોના જીવન અને સામાજિક કરાર સાથે જોડાયેલો હોય, તેને નિષ્ણાતોની સલાહ કે જાહેર સુનાવણી વિના પસાર કરવો લોકશાહી વિરોધી છે.

રાહુલે કહ્યું મનરેગા વિશ્વના સૌથી સફળ ગરીબી નિવારણ અને સશક્તિકરણ કાર્યક્રમોમાંનો એક છે. અમે આ સરકારને ગ્રામીણ ગરીબોના રક્ષણની છેલ્લી હરોળનો નાશ કરવા દઈશું નહીં. અમે આ પગલાને હરાવવા માટે કામદારો, પંચાયતો અને રાજ્યો સાથે ઉભા રહીશું અને આ કાયદાને પાછો ખેંચવા માટે રાષ્ટ્રવ્યાપી મોરચો બનાવીશું.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.