I am Sorry મમ્મી-પપ્પા, વિદ્યાર્થિનીની આત્મહત્યા, રામદેવ કહે-આ સ્યૂસાઇડ નથી...

રાજસ્થાનની દસમા ધોરણની એક વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના દબાવમાં આત્મહત્યા કરી લીધી છે. સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે, 'કદાચ તે 95 ટકા નહીં લાવી શકે, તે 10માં ધોરણથી પરેશાન થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર સ્યૂસાઇડ નોટ વાયરલ થઇ રહી છે. બાબા રામદેવથી લઇને ઘણા અધિકારી બાળકો પર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના પ્રેશર અને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

શું લખ્યું છે સ્યૂસાઇડ નોટમાં?

સ્યૂસાઇડ નોટમાં છોકરીએ લખ્યું છે કે આઇ એમ સોરી મમ્મી-પપ્પા, મારાથી નહીં થઇ શકે. હું ન લાવી શકતી 95 ટકા, હું 10માં ધોરણથી પરેશાન થઇ ગઇ છું. મારાથી હવે વધુ સહન થતું નથી. આઇ લવ યુ મમ્મી-પપ્પા અને ઋષભ. સાથે જ છોકરીએ એમ પણ લખ્યું કે, આઇ એમ સો સોરી. આ પાત્રને શેર કરતા IRS અધિકારી દેવ પ્રકાશ મીણાએ પણ ટ્વીટ કરીને બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો બાબા રામદેવે પણ શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે.

IRS અધિકારી દેવ પ્રકાશ મીણાએ લખ્યું કે, ફરી માર્ક્સની દોડની ભેટ ચડી ગઇ એક છોકરી, બાળકો પર એટલો દબાવ ન નાખો કે તે પોતાની જાતને જ સમાપ્ત કરી લે. બોર્ડની પરીક્ષા આવી રહી છે, બાળકોને આ બાબતે સતત સાંત્વના પ્રદાન કરતા રહો. બાબા રામદેવે લખ્યું કે, 'આ એક માસૂમની આત્મહત્યા નહીં, પરંતુ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન છે. સોશિયલ મીડિયા પર અન્ય લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. @veereshabhartiya નામનો યુઝર લખે છે કે, એકદમ યોગ્ય, શિક્ષણ વ્યવસ્થામાં બદલાવની જરૂરિયાત છે.

@Jayy2626 નામના યુઝરે લખ્યું કે, ખબર નહીં શું કરાવશે બાળકો પાસેથી 90 ટકા માર્ક્સ પ્રાપ્ત કરાવીને, જેમના 80 કે 85 ટકા કે 70-75 ટકા આવે છે શું તેઓ પોતાની જિંદગીમાં કંઇ કરી શકતા નથી? જરા પૂછો UPSC, PCS ક્લિયર કરનારાઓને તેમના 10માં અને 12માં ધોરણમાં કેટલા ટકા માર્ક્સ આવ્યા હતા 60/70 વાળા પણ અધિકારી બને છે. એક અન્ય યુઝરે લખ્યું કે, કોઇ બાળકની કુશળતા તપાસનું પ્રમાણ માર્ક્સ નહીં હોય શકે. આપણી શિક્ષણ નીતિમાં ખોટ છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ શિક્ષણને પૂરી રીતે પૂંજીવાદી સિસ્ટમને આધિન કરી દીધું છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.