લગ્નના 5 દિવસ પહેલા બીમાર થઈ ગઈ દુલ્હન, પછી વરરાજાએ શાહિદ કપૂરની સ્ટાઇલમાં લગ્ન કર્યા

વર્ષ 2006માં બનેલી શાહિદ કપૂરની ફિલ્મ વિવાહતમે બધાએ તો જોઈ જ હશે. ફિલ્મમાં દુલ્હન અમૃતા રાવ, લગ્નના દિવસે તેની પિતરાઈ બહેનને બચાવવાનો પ્રયાસમાં ઘરમાં લાગેલી આગમાં દાઝી જાય છે. પછી શાહિદ કપૂર હૉસ્પિટલમાં જઈને તેની સાથે લગ્ન કરે છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરમાં આવેલા પંજાબી નર્સિંગ હોમમાં અક્ષય તૃતીયાના અવસર પર આવો જ નજારો જોવા મળ્યો. હકીકતમાં, બ્યાવરાના પરમસિટી કૉલોનીના રહેવાસી જગદીશ સિંહ સિકરવારના ભત્રીજા આદિત્ય સિંહના લગ્ન કુંભરાજના રહેવાસી સ્વ. બલવીર સિંહ સોલંકીની પુત્રી નંદિની સાથે નક્કી થયા હતા.

Marriage2
tv9hindi.com

 

બુધવારે, અક્ષય તૃતીયા પર જાન, કુંભરાજ નજીકના પુરુષોત્તમપુરા ગામમાં જવાની હતી, પરંતુ લગ્નના 5 દિવસ અગાઉ દુલ્હન નંદિનીની તબિયત અચાનક બગડી ગઈ. નંદિનીને 24 એપ્રિલે બ્યાવરા શહેરના પંજાબી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા ડૉક્ટર જે.કે. પંજાબીએ દુલ્હનને આરામ કરવાની સલાહ આપી હતી. જ્યારે પરિવારજનોએ કન્યા નંદિનીના લગ્ન અક્ષય તૃતીયાના મુહૂર્તમાં કરવાની વાત કરી, તો ડૉક્ટરે કહ્યું કે કન્યા લાંબા સમય સુધી બેસી નહીં શકે. ત્યારબાદ, પરિવાર અને ડૉક્ટરે હૉસ્પિટલમાં જ વર અને કન્યાના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ, બુધવારે મોડી રાત્રે, વરરાજા આદિત્ય પોતાની દુલ્હન સાથે લગ્ન કરવા માટે જાન લઈને બેન્ડ-વાજા સાથે હૉસ્પિટલ પહોંચ્યો અને ત્યાં વૈદિક મંત્રો સાથે લગ્ન કર્યા. વરરાજા જાનૈયાઓ સાથે ઘોડા પર સવાર થઈને બેન્ડ સાથે જાન લઈને હૉસ્પિટલમાં પહોંચ્યો અને બધાની સામે લગ્નના રીત-રિવાજો પૂરા કર્યા.

Marriage5
tv9hindi.com

 

લગ્ન દરમિયાન કન્યા નંદિની ચાલી શકવાની સ્થિતિમાં ન હોવાથી વરરાજા આદિત્યએ હૉસ્પિટલમાં શણગારેલા મંડપ વચ્ચે કન્યાને ખોળામાં ઉઠાવીને 7 ફેરા લીધા. આ દરમિયાન, હૉસ્પિટલમાં જ, વરરાજાએ કન્યાના સેન્થામાં સિંદુર ભર્યું અને તેને મંગળસૂત્ર પણ પહેરાવ્યું. વરરાજાની માતા મમતા બૈસે જણાવ્યું કે, તેમના દીકરાના લગ્ન કુંભરાજની નંદિની સાથે નક્કી થયા હતા, પરંતુ લગ્નના માત્ર 5 દિવસ અગાઉ, દુલ્હન નંદિનીની તબિયત અચાનક બગડી ગઈ. તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં તેનું સ્વાસ્થ્ય ન સુધરતા હૉસ્પિટલમાં લગ્નના રીત-રિવાજ કરવામાં આવ્યા. મમતાએ જણાવ્યુ કે જો લગ્ન આજે ન થયા હોત તો 2 વર્ષ સુધી લગ્ન માટે કોઈ મુહૂર્ત નહોતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.