ટિકિટ ન આપી તો કોંગ્રેસમાં જતો રહીશ, હરિયાણા BJPના દિગ્ગજની ખુલ્લી ચીમકી

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટેન્શન વધારતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે દાવો કર્યો કે, જો તેમણે ટિકિટ ન આપી તો તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ જશે. તેઓ રાજ્યની હાઇપ્રોફાઇલ સીટ બાદશાહપુરથી ટિકિટ માગી રહ્યા છે. ખાસ વાત છે કે, આ સીટ પર વરિષ્ઠ નેતા સુધા યાદવથી લઇને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના પૂર્વ OSD સહિત ઘણા નેતા દાવેદારી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાવ નરબીર સિંહે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ આ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે. વર્ષ 2019માં મને ટિકિટ મળી નહોતી. આ વખત હું અપક્ષ ઉમેદવાર બનીને ચૂંટણી નહીં લડું. મેદાનમાં માત્ર 2 જ પાર્ટીઓ છે. તો જો ભાજપ મને ટિકિટ નથી આપતી, તો હું કોંગ્રેસમાં સામેલ થઇ જઇશ. રાવ નરબીર સિંહનો દાવો છે કે બાદશાહપુર વિધાનસથા સીટ પરથી તેઓ જ જીતનારા ઉમેદવાર છે. એવા સમાચાર છે કે પૂર્વ સાંસદ સુધા યાદવ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તેઓ બાદશાહપુર સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. એવામાં નરબીર સિંહને ટિકિટ મળવાની સંભાવનાઓ ઓછી નજરે પડી રહી છે. જો કે, અત્યાર સુધી પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી નથી. એ સિવાય ગુરુગ્રામના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દરજીત સિંહ પણ બાદશાહપુર અને અહિરવાલના ટિકિટ વિતરણમાં સક્રિય નજરે પડી રહ્યા છે. વર્ષ 2019માં હારનો સામનો કરનાર મનીષ યાદવ પણ ટિકિટની ઇચ્છા રાખી રહ્યા છે. તો ખટ્ટરના પૂર્વ OSD જવાહર યાદવ પણ અહી એક્ટિવ છે. એ સિવાય ભાજપના જિલ્લા અધ્યક્ષ કમલ યાદવ પણ દાવેદારી રજૂ કરી રહ્યા છે.

જો કે, જવાહર યાદવ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીની વિચારધારા સાથે કામ કરતા રહેશે. મતદારોની સંખ્યાના હિસાબે પણ એ રાજ્યની સૌથી મોટી સીટ છે. ગુડગાંવ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી 9 સીટોમાંથી એક બાદશાહપુર સેગમેન્ટમાં 4.5 લાખ મતદાતા છે. રિપોર્ટમાં ભાજપના અનુમાનના સંદર્ભે બતાવવામાં આવ્યું કે બાદશાહપુરમાં લગભગ 1.25 લાખ અહીર (યાદવ), 60 હજાર જાટ, 50 હજાર અનુસુચિત જાતિના સભ્ય, 35 હજાર બ્રાહ્મણ અને 30 હજાર પંજાબી છે. સાથે જ અહી ગુજ્જર, રાજપૂત અને મુસ્લિમ વોટર પણ છે.

Related Posts

Top News

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Copyright (c) Khabarchhe All Rights Reserved.