મહિલા પહેલવાનોને લઇ સચિનના ઘરની બહાર લાગ્યા પોસ્ટર, મમતા દીદી જોડાયા

વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલનારા પહેલવાનોના પક્ષમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખૂલીને સામે આવ્યા છે. પહેલવાનોના સપોર્ટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કોલકાતાના રસ્તા પર પગપાળા માર્ચ કાઢી. તેમાં મમતા બેનર્જી પણ સામેલ થયા. આ માર્ચ સાથે જ મમતા બેનર્જી પહેલવાનો માટે રસ્તા પર ઉતરીને માર્ચ કાઢનારા પહેલા મુખ્યમંત્રી બની ગયા છે. માર્ચ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ભાજપના નેતા હોવાના કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી રહી નથી. આ દેશ માટે શરમની વાત છે.’

તેમણે કહ્યું કે, તેઓ (પહેલવાન) હરિદ્વાર ગયા, પરંતુ દોષીની ધરપકડ ન થઈ. ધરપકડની માગને લઈને અમારું ધરણાં પ્રદર્શન ચાલુ રહેશે. અમને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. અમે આગામી દિવસોમાં વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. અમે તેમની સાથે વાત કરી છે, અમારી ટીમ તેમનું સમર્થન કરવા ત્યાં જશે. પહેલવાનોને ન્યાય અપાવવાની માગને લઈને તૃણમૂલ આજે કેન્ડલ માર્ચ કાઢશે. આ દરમિયાન પહેલવાનોનું સમર્થન ન કરનારા ખેલાડીઓ વિરુદ્ધ પણ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

યૂથ કોંગ્રેસે બુધવારે સચિન તેંદુલકરના બંગલા બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં પહેવવાનોનું સમર્થન ન કરવા પર નારાજગી વ્યક્ત કરવામાં આવી. પોસ્ટર લગતા જ મુંબઈ પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ અને પોસ્ટર હટાવી દીધું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે પણ પહેલવાનોના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને મહિલા પહેલવાનોની માગ પર ધ્યાન આપવાની અપીલ કરી છે.

ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે, જે મહિલા પહેલવાનોને આપણે ગર્વથી પોતાના દેશની દીકરીઓ કહીએ છીએ, જેમની મહેનતથી દેશને કુશ્તીની રમતમાં ઘણા મેડલ મળ્યા છે તેઓ આજીજી કરી રહી છે. મહિલા પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. પીડિત માત્ર સરકાર પાસે એક અશ્વાસનની માગ કરી રહ્યા છે. તેમની લડાઈમાં કોઈ પણ બાહુબલીના દબાવ વિના તેમને ન્યાય મળવો જોઈએ. મને આશા છે કે એવું કોઈ કામ ફરી નહીં થાય, જેવું 28 માર્ચના રોજ થયું.

વડાપ્રધાન મોદી તેમની વાત સાંભળશે અને તેમને ન્યાય અપાવશે. આ અગાઉ મંગળવારે પહેલવાનોના એક પગલાએ આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેકહ્યું હતું. રેસલર્સે પોતાના મેડલ હરિદ્વાર પહોંચીને ગંગા નદીમાં વહાવવાની જાહેરાત કરી હતી. પ્લાન મુજબ, સાંજના સમયે ભારે ભીડ વચ્ચે પહેલવાન હર કી પૌડી પહોંચ્યા હતા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે ત્યાં પહોંચીને તેમના મેડલ લીધા અને તેમને સમજાવતા સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.