મચ્છરની કોઇલથી લાગેલી આગમાં એક જ પરિવારના છના મોત, બેની હાલત ગંભીર

દિલ્હીમાં મચ્છર ભગાવવાની કોઇલ સળગાવીને સૂવાથી એક અકસ્માત થયો હતો. અહીં એક જ પરિવારના છ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મળતી માહિતી મુજબ, શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક પરિવાર કોઇલ સળગાવીને સૂતો હતો. ત્યારપછી રાત્રે કોઈક સમયે એક ગાદલા પર કોઈલ પડી ગઈ, જેના કારણે આખા રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો અને ત્યાં સૂઈ રહેલા છ લોકોના મોત થઈ ગયા. જ્યારે, બે સભ્યોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

I.T.G. ક્રાઈમ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું કે, સવારે લગભગ 9 વાગ્યે થાના શાસ્ત્રી પાર્કમાં PCR કોલ આવ્યો કે શાસ્ત્રી પાર્કના મચ્છી માર્કેટમાં આવેલા એક મકાનમાં આગ લાગી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું હતું કે, રાત્રે કોઈક સમયે એક સળગતી મચ્છર ભગાડનાર કોઈલ ગાદલાની ઉપર પડી હતી, જેના કારણે આખા રૂમમાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો અને ત્યાં સૂતા લોકો બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું હતું. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સાથે જ ફાયર બ્રિગેડને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને ઘરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષનો બાળક છે. સાથે જ આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા બે લોકોની સારવાર ચાલી રહી છે. સળગેલા લોકોમાં એક 15 વર્ષની છોકરી અને 45 વર્ષનો પુરુષ છે. આ ઉપરાંત આશરે 22 વર્ષના એક યુવકને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અઝમત, હમઝા, ઝાહિદા, દાનિશ, નિશાદ અને ફૈઝુલનું મોત થયું છે. આ સિવાય સોની અને જિયારૂલની સારવાર ચાલી રહી છે.

મચ્છર ભગાડનાર કોઇલમાં DDT, અન્ય કાર્બન ફોસ્ફરસ અને જોખમી પદાર્થો હોય છે. બંધ રૂમમાં મચ્છર કોઇલ સળગાવીને સૂવાથી રૂમની અંદરનો ગેસ બહાર નથી આવતો. કોઇલ સળગતી રહેતી હોવાને કારણે કાર્બન મોનોક્સાઇડથી આખા રૂમને ભરી દે છે. ઓરડામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું. ધીરે ધીરે, કાર્બન મોનોક્સાઇડ વ્યક્તિના શરીરમાં ભરાય છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગૂંગળામણને કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે. એક રિસર્ચ મુજબ, એક કોયલ 100 સિગારેટ જેટલી ખતરનાક છે. તેમાંથી લગભગ PM 2.5 ધુમાડો નીકળે છે, તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.