સોનિયા ગાંધીની તબિયત બગડી, હોસ્પિટલમાં એડમીટ કરાયા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફરી એકવાર દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવની ફરિયાદ પછી ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબો તેમની તપાસ કરી રહ્યા છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલે જારી કરેલા બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે,UPA ચેરપર્સન સોનિયા ગાંધીની ચેસ્ટ મેડિસીન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલટન્ટ ડો. અરૂપ બાસુની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. સોનિયા ગાંધીને 2 માર્ચે તાવ આવ્યો હતો એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબો લગાતાર તેમની સારવારમાં લાગેલા છે અને અનેક તપાસો કરવામાં આવી રહી છે. જો કે સોનિયા ગાંધીની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ દ્રારા કહેવામાં આવ્યું છે.

સોનિયા ગાંધીની તબિયત એવા સમયે લથડી છે જ્યારે તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે.રાહુલ ગાંધી બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. રાહુલ ગાંધીએ પોતાના લેક્ચરમાં કહ્યું હતું કે, ભારતીય લોકતંત્ર જોખમમાં છે. અમે સતત એક પ્રેસરનો અનુભવ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ પર કેસ કરવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું કે મારા ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે. એવા એવા  કેસ કરવામાં આવી રહ્યા છે જે કેસ બનતા જ નથી. રાહુલે કહ્યું કે અમે અમારા બચવાના પ્રયાસ કરી રહ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યુ કે, વિપક્ષ નેતાઓનો ફોનમાં ઇઝરાયલનો પેગાસસ સોફ્ટવેર નાંખી દેવામાં આવ્યો છે.

રાહુલે કેમ્બ્રિજમાં કહ્યું કે ભારતમાં મીડિયા અને ન્યાયપાલિકા પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. લઘુમતી અને આદિવાસીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. સરકારની સામે કોઇ પણ જો ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે.

રાહુલે ભારત યાત્રાના પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે જ્યારે હું કાશ્મીર પહોંચ્યો હતો ત્યારે સિક્યોરીટીના માણસો મારી પાસે આવ્યા હતા અને મને વિનંતી કરી હતી કે તમે કાશ્મીરની યાત્રા નહીં કરી શકો કારણકે તમારા પર ગ્રેનેડથી હુમલો થઇ શકે છે. રાહુલે કહ્યુ કે, હું તો યાત્રા કરીશ.

 આ પહેલાં પણ સોનિયા ગાંધીની તબિયત બગડવાને કારણે 5 જાન્યુઆરી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાયરલ સંક્રમણને કારણે સોનિયા ગાંધીની તબિયત બગડી હતી. તે વખતે હોસ્પિટલમાં સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધી વાઢ્રા હોસ્પિટલમાં તેમની સાથે હાજર રહ્યા હતા.

સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડો. ડી.એસ. રાણાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીની હાલત અત્યારે સ્ટેબલ છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.