જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, પરીક્ષા કેન્દ્ર પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે નટરાજ ભાગવત નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાવવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 3(5) સાથે 115(2), 299, 351(1) અને 352 હેઠળ FIR નોંધવામાં આવી હતી.

Exam
kce.ac.in

 

અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે જેથી એ જાણકારી મળી શકે કે કઈ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રતિકો હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ. એમ.સી સુધાકરે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને પુષ્ટિ કરી કે બિદરના એક પરીક્ષા કેન્દ્રમાંથી પણ આવી જ ફરિયાદો મળી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્યભરના મોટાભાગના અન્ય કેન્દ્રો પર પરીક્ષા પ્રક્રિયા સૂચરું રૂપે થઈ હતી. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એ માત્ર શિવમોગામાં જ નહીં, બિદરમાં પણ એવું થયું. 2 કેન્દ્રોને છોડીને બાકી બધી જગ્યાઓ પર જ પ્રક્રિયા સૂચરું રૂપે ચાલી. કોઈપણ ગેજેટ્સ તપાસ અથવા તપાસ માટે જવાબદાર લોકો કે અહીં સુધી કે જે પણ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું, તેમને ક્યારેય આવી વસ્તુઓ તપાસવા કે હટાવવા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા નહોતા. પરીક્ષામાં લખવા માટે તેની તપાસ કરવાનો કે તેને હટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અમે બધા ધર્મો, તેમની માન્યતાઓ અને તેમના કાર્યોનું સન્માન કરીએ છીએ. અમે તેને સ્વીકાર નહીં કરી શકીએ.'

શું છે મામલો?

વાસ્તવમાં, 16 એપ્રિલના રોજ આદિચુંચનગિરી ઇન્ડિપેન્ડન્ટ પી.યુ. કૉલેજમાં બનેલી આ ઘટના બાદ, શહેરના બ્રાહ્મણ સમુદાયના સભ્યો અને પોલીસ વચ્ચે બહેસ થઈ ગઈ હતી. ત્યારબાદ, સમુદાયના લોકોએ સંબંધિત સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. બ્રાહ્મણ સમુદાયે શિવમોગાના DCને પણ ફરિયાદ કરી અને લખ્યું કે, ‘આ ખૂબ જ નિંદનિય છે કે કેન્દ્રના અધિકારીઓએ દ્વારા આવું અપમાનજનક કામ કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્ર દીક્ષા લીધી હતી, જે આત્મ-જાગૃકતા માટે એક આધ્યાત્મિક વ્રત છે, તેમને પોતાના પવિત્ર દોરાને ઉતારવા મજબૂર કરવામાં આવ્યા.

karnataka
aajtak.in

તો બિદરના સાંઈ સ્ફૂર્તિ કૉલેજ પરીક્ષા કેન્દ્રમાંથી રિપોર્ટ કરવામાં આવેલી બીજી ઘટનામાં, ચૌબારાના રહેવાસી સુચિવ્રત કુલકર્ણી નામના એક વિદ્યાર્થીને કથિત રીતે CET ગણિતની પરીક્ષામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કેમ કે તેણે જનોઈ પહેરી હતી.

વિદ્યાર્થીના પરિવાર અને સમુદાયના સભ્યોની ફરિયાદો અનુસાર, પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓએ કુલકર્ણીને અયોગ્ય ઠેરવવા માટે પોશાકનો સંદર્ભ આપતા પેપર લખવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની દેખરેખ રાખનાર કર્ણાટક પરીક્ષા ઓથોરીટી (KEA)એ અત્યાર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.