11 કિલો સોના અને 101 હીરાનો મુકુટ રામલલાને આપવા માગે છે સુકેશ,જેલથી લખી ચિઠ્ઠી

દિલ્હીની જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે હવે એક નવી ઈચ્છા વ્યક્ત કરી છે. તે અયોધ્યા રામ મંદિરમાં રામલલાની મૂર્તિ માટે 11 કિલો સોના અને 101 હીરાઓથી જાડેલો મુકુટ દાન કરવા માગે છે. તેના માટે તેણે જેલથી એક ચિઠ્ઠી લખી છે અને મૂર્તિ દાન કરવાની મંજૂરી માગી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખને લખેલી 2 પાનાંની ચિઠ્ઠીમાં તેણે લખ્યું કે, તે રામલલાની મૂર્તિ માટે એક મુકુટ દાન કરવા માગે છે. તે પોતાના સામર્થ્ય મુજબ દાન કરી રહ્યો છે.

તેણે જણાવ્યું કે, તે અહીં જે મુકુટની વાત કરી રહ્યો છે તે 11 કિલોના 916 કેરેટથી બનેલો છે. તેની સાથે જ એ મુકુટ 101 હીરાથી જડેલો છે અને દરેક હીરાનું વજન 5 કેરેટ છે. સુકેશ ચંદ્રશેખરે ચિઠ્ઠીમાં બતાવ્યું કે, તે અને તેનો પરિવાર ભગવાન શ્રીરામના ખૂબ મોટો ભક્ત છે અને તેના માટે એવો મુકુટ દાન કરવો સપનું સાચું થવા જેવું છે. અમારી પાસે આજે જે કંઇ પણ છે તે ભગવાન રામના આશીર્વાદના કારણે છે. એવામાં અમારું નાનકડું યોગદાન આ મહાન મંદિરનો હિસ્સો બનશે, એ અમારા માટે ખૂબ મોટો આશીર્વાદ છે. સુકેશ ચંદ્રશેખરે ચિઠ્ઠીમાં મુકુટ બનાવનાર જ્વેલર બાબતે પણ જણાવ્યું છે અને કહ્યું કે તેના ખાસ નિર્દેશો મુજબ જ આ મુકુટને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સુકેશના જણાવ્યા મુજબ, વર્ષ 1900થી જ્વેલરી બનાવવાનું કામ કરી રહેલા દક્ષિણ ભારતના એક જ્વેલરે આ શાનદાર મુકુટ તૈયાર કર્યો છે. આ ચિઠ્ઠી મુજબ, સુકેશના વકીલ ટ્રસ્ટને આ મુકુટ તેની તરફથી દાન કરશે. સુકેશના કાયદાકીય સલાહકાર અનંત મલિક અને સ્ટાફ સભ્યને તેની જવાબદારી આપી છે. તે તેની સાથે જોડેલી દરેક જરૂરી વસ્તુ બિલ, પ્રમાણપત્ર અને કાયદાકીય ઔપચારીકતાનું ધ્યાન રાખશે. ઠગ સુકેશે કહ્યું કે, ચંદ્રશેખર અને તેનો પરિવાર આભારી હશે, જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક સમારોહમાં રામલલાની મૂર્તિ પર મુકુટ રાખી શકાય. હાલમાં તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંડોલી જેલમાં બંધ છે.

કોણ છે મહઠગ સુકેશ ચંદ્રશેખર?

સુકેશ કર્ણાટકના બેંગ્લોરનો રહેવાસી છે. તે વર્ષ 2007માં 17 વર્ષની ઉંમરમાં છેતરપિંડીના કેસમાં પહેલી વખત જેલ ગયો હતો. તેણે એક જાણીતા વરિષ્ઠ રાજનેતાના પુત્રનો મિત્ર હોવાનો દાવો કરીને એક પારિવારિક મિત્રને 1.5 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. સુકેશે એક્ટ્રેસ લીના મારિયા પોલ સાથે લગ્ન કર્યા છે. તે છેતરપિંડીના કેસમાં તેનો સાથ આપતી રહી. વર્ષ 2021માં સુકેશની 5 અન્ય જેલ અધિકારીઓ સાથે 200 કરોડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી.

આ દરમિયાન સુકેશ પર આરોપ લાગ્યો કે પૈસાના દમ પર તિહાડની રોહિણી જેલમાં સુકેશને એક પૂરી બેરેક એકલાને રહેવા માટે આપી દેવામાં આવી હતી. આ તમામ આરોપો બાદ સુકેશને કોર્ટના આદેશ પર તિહાડની રોહિણી જેલમાં મંડોલી જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ગત દિવસોમાં જ સુપ્રીમ કોર્ટે 200 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલીના મામલે સુકેશની પત્ની લીના પોલની જામીની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.