મંદિર પરિસરમાં મટન પહોંચાડવાનો ડિલીવરી બોયનો ઇનકાર, કહ્યું, હું સનાતની હિંદુ છું

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્વિગીનો ડિલીવરી બોય દિલ્હીના મરઘટ વાળા હનુમાન મંદિર પરિસરમાં મટન કોરમાની ડિલીવરી કરવાનો ઇન્કાર કરી રહ્યો છે. આ ડિલીવરી બોયનું નામ છે સચિન પંચાલ.મંદિર પરિસરમાં મટનની ડિલીવરીના ઇન્કાર પછી સચિન સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. હિંદુ સંગઠનોએ તેનું સન્માન પણ કર્યું છે. સચિને કહ્યું કે, હું સનાતની હિંદુ છું એટલે મંદિર પરિસરમાં મટનની ડિલિવરી ન કરી શકું.

સચિન પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેને કારોલ બાગમાં આવેલા નજીર ફુડમાંથી મટન કોરમા અને રોટી ડિલીવરી કરવાનો ઓડર્ર મળ્યો હતો. સચિન જ્યારે લોકેશન પર પહોંચ્યો ત્યારે ખબર પડી કે મરઘટ વાળા હનુમાન મંદિર પરિસરમા બનેલી રામ કચોરીની દુકાન પર ડિલીવરી કરવાની છે. એટલે સચિન પંચાલે મટન કોરમાનો ઓર્ડર કરનાર અભિષેક શર્માને ડિલીવરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને પછી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

સચિને કહ્યું કે, ગયા મંગળવારની વાત છે, જ્યારે તે ઓર્ડર લઈને પહોંચ્યો તો તેણે જોયું કે લોકેશન મંદિરની નજીક ખતમ થઈ ગયું છે. રામ કચોરી જે મંદિર પરિસરની અંદર છે ત્યાં ડિલીવરી પહોંચાડવાની હતી પરંતુ મેં ના પાડી. ઓર્ડર આપનાર અભિષેક શર્માએ મને કહ્યું કે અહીં 365 દિવસની ડિલિવરી થાય છે, તમે ડિલીવરી લઇને અંદર આવો, પરંતુ મેં ના પાડી અને બાદમાં ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો હતો.સચિને કહ્યુ કે આમાં કોઇ ષડયંત્ર નથી, હું અભિષેક શર્માને ઓળખતો નથી. સનાતની હિંદુ ધર્મમાં મારી આસ્થા છે એટલે ના પાડી, કદાચ અભિષેક શર્મા ડિલીવરી લેવા બહાર આવતે તો પણ હું ડિલીવરીનો ઇન્કાર કરી દેતે.

સચિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યારે સ્વિગીમાં મારી ID એક્ટિવ છે, પરંતુ મેં નિર્ણય કરી લીધો છે કે હું સ્વિગી સાથે આગળ કામ નહીં કરું.મને શંકા છે કે સ્વિગી કોઇ પણ બહાનું બતાવીને મને નોકરીમાંથી કાઢી મુકશે. સચિને કહ્યું કે મેં સ્વિગીના કસ્ટમર કેરને પણ જાણ કરી હતી કે, જયાં ભગવાન હનુમાનનો પ્રસાદ અને કચોરી રોજ તૈયાર કરવામાં આવે છે ત્યાં હું મટનની ડિલીવર નહીં કરું.

એ પછી હિંદુ સમાજે સચિન પંચાલનું સન્માન પણ કર્યું હતું. સચિન અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચામાં છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.