તમિલનાડુના રાજ્યપાલ ગેરકાનૂની-મનસ્વી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે..., RN રવિને 'સુપ્રીમ ઠપકો'

તમિલનાડુમાં સત્તારૂઢ DMK સરકાર અને રાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દાઓ પર મડાગાંઠ ચાલી રહી છે. આ સંદર્ભમાં, મંગળવારે, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ RN રવિ સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, રાષ્ટ્રપતિના વિચારણા માટે 10 બિલ અનામત રાખવા એ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. ન્યાયાધીશ JB પારડીવાલા અને R મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, બંધારણની કલમ 200 હેઠળ, રાજ્યપાલ પાસે કોઈ વિવેકાધિકાર નથી અને તેઓ મંત્રીમંડળની સહાય અને સલાહ પર કાર્ય કરવા માટે બંધાયેલા છે.

Supreme Court, Governor
etvbharat.com

બેન્ચે કહ્યું કે, રાજ્યપાલ સર્વ સંમતિને રોકી શકતા નથી અને 'સંપૂર્ણ વીટો' અથવા 'આંશિક વીટો' (પોકેટ વીટો)ની વિભાવના અપનાવી શકતા નથી. તેમણે કહ્યું કે, રાજ્યપાલ ફક્ત એક જ રસ્તો અપનાવવા માટે બંધાયેલા છે, બિલોને મંજૂરી આપવી, સંમતિ રોકવી અને રાષ્ટ્રપતિના વિચાર માટે તેને અનામત રાખવું. બેન્ચે કહ્યું કે રાજ્યપાલ સમક્ષ બીજી વખત રજૂ થયા પછી બિલ રાષ્ટ્રપતિના વિચારણા માટે અનામત રાખવાના પક્ષમાં નથી. બેન્ચના મતે, રાજ્યપાલે બીજા રાઉન્ડમાં તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલોને મંજૂરી આપવી જોઈએ, એકમાત્ર અપવાદ એ છે કે, જો બીજા રાઉન્ડમાં મોકલવામાં આવેલ બિલ પહેલા કરતા અલગ હોય.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી, CM MK સ્ટાલિને પલટવાર કરતા વિધાનસભામાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બિલોને હવે રાજ્યપાલની મંજૂરી માનવામાં આવે છે. CM MK સ્ટાલિને કહ્યું કે, તેમણે વિધાનસભા દ્વારા પસાર થયા પછી રાજ્યપાલને મોકલવામાં આવેલા ઘણા બિલ તેમણે પરત કર્યા છે. તેને ફરીથી પાસ કરવામાં આવ્યા અને ફરીથી તેમની પાસે મોકલવામાં આવ્યા. CM MK સ્ટાલિને કહ્યું, 'બંધારણ મુજબ, રાજ્યપાલ માટે બીજી વખત પસાર થયેલા બિલને મંજૂરી આપવી ફરજિયાત છે, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેઓ તેમાં વિલંબ કરી રહ્યા હતા.'

Supreme Court, Governor
hindi.news18.com

CM MK સ્ટાલિને કહ્યું કે, રાજ્ય સરકાર આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની દલીલો સ્વીકારી અને ઐતિહાસિક ચુકાદો આપ્યો કે 'આને રાજ્યપાલ વતી સંમતિ આપ્યા તરીકે ગણવું જોઈએ.' CM MK સ્ટાલિને કહ્યું, 'આ નિર્ણય એ ફક્ત તમિલનાડુ માટે જ નહીં, પરંતુ ભારતની તમામ રાજ્ય સરકારોની જીત છે.'

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.