હ્યુન્ડાઇએ આ કારને ભારતની વેબસાઇટ પરથી કેમ હટાવી દીધી?

Hyundaiની ફ્લેગશિપ SUV ટક્સન (Tucson)ને લઈને બજારમાં ખૂબ જ હલચલ મચી ગઈ છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી આ પ્રીમિયમ SUVને હટાવી દીધી છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે Hyundaiએ ભારતમાં Tucson બંધ કરી દીધી છે. ચાલો જાણીએ કે શું છે મામલો અને શું હવે Tucsonની જગ્યાએ કોઈ નવી SUV આવવાની છે?

Hyundai Tucson એક લક્ઝરી SUV છે જેની પોતાની ઓળખ હતી. Hyundai Tucsonબી ચોથી જનરેશનને ઓગસ્ટ 2022માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ SUV કંપનીની સૌથી પ્રીમિયમ ઓફરિંગમાંથી એક હતી, જે સુધી રીતે જીપ મેરિડિયન, સ્કોડા કોડિએક અને ટોયોટા ફોર્ચ્યૂનર જેવી કારોને ટક્કર આપતી હતી. Tucson તેની સ્ટાઇલિશ ડિઝાઇન, હાઇ-ટેક સુવિધાઓ અને ADAS સેફ્ટી સિસ્ટમને કારણે માટે ખાસ ચર્ચામાં રહી.

car1
hyundai.com

Hyundai Tucsonને 2 એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં એક 2.0-લીટર પેટ્રોલ એન્જિન છે, જે 154 bhp અને 192Nmનો ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે, તેમાં 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવેલું છે. તેમાં 2.0 લિટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે 183bhpનો પાવર અને 416Nm ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેમાં 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે, તેમાં AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) માત્ર ટોપ વેરિયન્ટમાં જ મળતું હતું.

Hyundai Tucson, એ પસંદગીની SUVઓમાંથી એક હતી, જેમાં લક્ઝરી અને ટેક્નોલોજી બંનેનું શાનદાર મિશ્રણ હતું. તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યૂઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 360° કેમેરા, લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 6 એરબેગ્સ, હિલ-હોલ્ડ આસિસ્ટન્સ, ABS, EBD અનેTPMS  જેવા ફીચર્સ મળે છે, જે એક લક્ઝરી SUVમાં હોવી જોઈએ.

car2
carwale.com

વેબસાઇટ પરથી દૂર કરવાનો અર્થ શું છે?

Hyundai ઇન્ડિયાએ નવેમ્બર 2025માં તેની વેબસાઇટ પરથી Tucsonને હટાવી દીધી, જે એવા સંકેત આપે છે કે SUV હાલમાં પ્રોડક્શનમાં નથી. જો કે, કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે Hyundai ટૂંક સમયમાં Tucsonનું નવું અપડેટેડ વર્ઝન અથવા ફેસલિફ્ટેડ મોડલ લોન્ચ કરી શકે છે, જે BS6 ફેઝ-2 અને નવા સેફ્ટી નોર્મ્સને અનુરૂપ હશે.

Hyundai Tucsonને નવા સેફ્ટી અને એમીશન નોર્મ્સને કારણે અપડેટની જરૂર હતી. વધુ કિંમતને કારણે તેનું મર્યાદિત વેચાણ થઈ રહ્યું હતું. તો Hyundaiનું ફોકસ ક્રેટા EV અને અલ્કાઝાર ફેસલિફ્ટની તૈયારી પર છે. ઘણા અહેવાલો અનુસાર, Hyundai ટૂંક સમયમાં નવું Tucson (2026 મોડેલ) લાવી શકે છે, જેમાં નવી ડિઝાઇન, હાઇબ્રિડ એન્જિન અને અપડેટેડ ADAS સિસ્ટમ મળશે. જો આવું થાય છે, તો Tucson ફરી એકવાર ભારતમાં લક્ઝરી મિડ-સાઇઝ SUV સેગમેન્ટને હલાવી શકે છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.