બિહારના મંત્રી તેજપ્રતાપને UPની હોટેલે અડધી રાતે હોટેલમાંથી બહાર કાઢ્યા, સામાન..

બિહાર સરકારના મંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે ગેરવર્તન અને સુરક્ષા ભંગનો એક મોટો મામલો વારાણસીમાં સામે આવ્યો છે. વારાણસીમાં મોડી રાત્રે કેન્ટ વિસ્તારમાં આવેલી એક હોટલ મેનેજમેન્ટે હોટલના રૂમમાંથી તેજ પ્રતાપ યાદવનો રૂમ તેમની પરવાનગી વગર ખોલ્યો હતો. આ સિવાય બાજુના રૂમમાં રહેલા સુરક્ષાકર્મીઓ અને સહાયકોનો સામાન બહાર કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ હોટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેજ પ્રતાપે પણ હોટલ મેનેજમેન્ટના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી. સહાયકોએ આ ઘટનાને તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી ગણાવી હતી. હંગામા બાદ તેજ પ્રતાપને શુક્રવારે મોડી રાત્રે જ હોટલમાંથી બહાર જવું પડ્યું હતું. તેજ પ્રતાપના સહાયકોએ આ મામલે સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

વાસ્તવમાં બિહાર સરકારના મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ શુક્રવારે વારાણસી પહોંચ્યા હતા. તેઓ સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેન્ટ વિસ્તારમાં આવેલી હોટલના રૂમ નંબર 206માં રોકાયા હતા. તેમના સુરક્ષા કર્મચારીઓ અને અંગત સહાયકો પાસે રૂમ નંબર 205 હતો. એક દિવસ માટે રૂમો લેવામાં આવ્યા હતા.

તેજ પ્રતાપ શુક્રવારે સવારે અસ્સી ઘાટ પહોંચ્યા અને બોટ દ્વારા જઈને ગંગા આરતીમાં ભાગ લીધા બાદ હોટેલ પરત ફર્યા. અહીં આવીને તેને ખબર પડી કે, હોટેલ મેનેજર તેની ગેરહાજરીમાં તેના રૂમમાં ઘુસ્યા હતા. તેમજ રૂમ નંબર 205માં રહેતા સ્ટાફનો સામાન રૂમમાંથી કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવ્યો હતો. તેજ પ્રતાપે આના પર નારાજગી વ્યક્ત કરી અને શુક્રવારે મોડી રાત્રે જ હોટલ છોડી દીધી.

તેજ પ્રતાપના અંગત સહાયકો વિશ્વાસ યાદવ અને વિશાલ સિન્હાનું કહેવું છે કે, આ દરમિયાન મંત્રી તેજ પ્રતાપના સ્ટાફમાં સામેલ વ્યક્તિ રૂમમાં હાજર હતો, તેને પણ રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેજ પ્રતાપના અંગત સહાયકોએ હોટેલ મેનેજર વિરુદ્ધ સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે, આ ઘટના મંત્રી તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, આર્કેડિયા હોટલમાંથી તેમને જાણ કર્યા વિના હોટલના મેનેજરે તેમની સુરક્ષામાં લાગેલા જવાનોનો સામાન રૂમમાંથી કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખ્યો હતો. આ સિવાય તેઓ તેજ પ્રતાપ યાદવના રૂમમાં પણ ગયા અને તેમનો સામાન બહાર કાઢ્યો. જેના કારણે તેજ પ્રતાપ યાદવ ખૂબ જ નારાજ હતા. અહીં જણાવી દઈએ કે, તેજ પ્રતાપ યાદવ અંગત ટૂર પર વારાણસી આવ્યા હતા અને નાઈટ વોક માટે અસ્સી ઘાટ ગયા હતા, પરંતુ જ્યારે તેઓ હોટેલ પરત ફર્યા તો તેઓ ચોંકી ગયા.

આ મામલામાં સિગરા પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજુ સિંહે જણાવ્યું કે, તેમના સહાયક તરફથી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ મામલે હોટલ મેનેજરની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે, તેમનું બુકિંગ ક્યાં સુધી થયું હતું. આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર પછી આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.