આ રાજ્યના ખેડૂતોને મળી મોટી રાહત, સરકારે માફ કરી 2 લાખ સુધીની લોન

ખેડૂતોની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખતા તેલંગાણામાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 લાખ રૂપિયાની લોન માફી જલદી જ લાગૂ થઈ જશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રેસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય, તેને માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષની અવધિ માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 2 લાખ રૂપિયાની લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, પાત્રતા શરતો સહિત લોન માફીનું વિવરણ જલદી જ એક સરકારી આદેશ (GO)માં જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર પર પડનાર આર્થિક ભારણને લઈને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો ભાર આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, પાછલી BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના પોતાના વાયદાને ઈમાનદારીથી લાગૂ ન કરીને ખેડૂતો અને ખેતીને સંકટમાં નાખી દીધા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાના કૃષિ લોન માફી માટે પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરી રહી છે. આ અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. તેની સાથે જ ફ્રી વીજળી કોટાને વધારે 200 યુનિટ કરશે. તેના માટે તેમણે ઘણી બેન્કોને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું.

મુખ્યમંત્રી ચંપઈ સોરેન મુજબ 31 માર્ચ 2020 સુધી ખેડૂતોની 50 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને વન ટાઇમ સેટલમેન્ટના માધ્યમથી માફ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અગાઉ 4 મહિના અગાઉ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનો વાયદો કર્યો હતો. રાજ્યમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા હાંસલ કરી હતી અને એ. રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી બાદ રેવંત રેડ્ડીએ રાજ્યમાં લોન માફી કરવાની જાહેરાત કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.