સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય

તેલંગાણામાં વૃદ્ધ માતા-પિતાને સતાવવા બાળકોને હવે ભારે પડશે. સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે, જે હેઠળ એ સરકારી કર્મચારીઓના પગારમાંથી 10% કપાત થશે, જે તેમના માતા-પિતાની સંભાળ રાખતા નથી. આ રકમ કર્મચારીના ખાતામાંથી કાપીને સીધા તેમના માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સ્પષ્ટતા કરી હતી કે, ‘જે સરકારી કર્મચારીઓ તેમના માતા-પિતાની સંભાળ નહીં રાખે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો વૃદ્ધ માતા-પિતા તેમના સરકારી કર્મચારી પુત્ર કે પુત્રી સામે ફરિયાદ નોંધાવશે, તો કર્મચારીના પગારમાંથી 10% કાપી લેવામાં આવશે. આ રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી તેઓ સન્માન સાથે જીવન જીવી શકે.

Revanth Reddy
siasat.com

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે જે લોકો તેમના માતા-પિતાની સંભાળ રાખી રહ્યા નથી, તેઓ સામાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા નથી. આ એક માનવતાવાદી પગલું છે, જેથી આપણા વૃદ્ધો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. તેમણે જણાવ્યું કે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે પ્રણામ નામનું ડે કેર સેન્ટર પણ બનાવવા જઈ રહી છે.

આટલું જ નહીં, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 2026-2027ના બજેટ પ્રસ્તાવોમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર રાજ્યમાં દરેકને સારી આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. એટલે, આગામી બજેટમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્રાન્સજેન્ડરો માટે પણ એક મોટી જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક કો-ઓપ્શન સભ્ય પદ ટ્રાન્સજેન્ડર લોકો માટે અનામત રાખવામાં આવશે.

parents
x.com/i/grok

મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીએ કહ્યું કે, સરકાર વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે. તેમને શિક્ષણ અને રોજગારમાં વિશેષ ક્વોટા આપવામાં આવ્યા છે. સરકારે નવપરિણીત વિકલાંગ વ્યક્તિઓને 2 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. વિકલાંગ વ્યક્તિઓને તમામ ક્ષેત્રોમાં તકો પૂરી પાડવામાં આવી રહી છે જેથી તેઓ આ સ્પર્ધાત્મક દુનિયામાં પાછળ ન રહે.

About The Author

Top News

ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો...
World 
ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે....
Politics 
લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય...
National 
‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાયબ livemint.com મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના...
Politics 
કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.