દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ વિરુદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું

કેન્દ્ર સરકારે ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીનો વિરોધ કર્યો છે. આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ગેરલાયકાતનો સમયગાળો નક્કી કરવાનો મામલો સંપૂર્ણપણે કાયદાકીય નીતિના દાયરામાં આવે છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, કેન્દ્રએ આ સોગંદનામું 2016માં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં દાખલ કર્યું છે, જેમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 અને 9ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પોતાના પ્રતિ-સોગંદનામામાં કહ્યું કે, આજીવન પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રનો પ્રશ્ન છે. આ નક્કી કરવાનું કામ અરજદાર કે પ્રતિવાદીનું નથી.

Supreme-Court2

લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 મુજબ, કોઈ ચોક્કસ ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિને જેલની સજા પૂરી થયા પછી 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. જ્યારે કલમ 9 મુજબ, ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યે વફાદારીના અભાવે બરતરફ કરાયેલા જાહેર સેવકોને બરતરફી થયાની તારીખથી પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં છે.

અરજદાર અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, ગેરલાયકાતને આજીવન પ્રતિબંધ સુધી લંબાવવી જોઈએ. આના જવાબમાં, કેન્દ્ર સરકારે કહ્યું કે હાલની જોગવાઈ બંધારણીય રીતે યોગ્ય છે અને સંસદના કાયદાકીય અધિકાર હેઠળ આવે છે. સરકાર વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, 'લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ની તમામ પેટા કલમોમાં છ વર્ષની સજાને આજીવન કેદમાં રૂપાંતરિત કરવી એ કાયદાને ફરીથી લખવા સમાન હશે. અને ન્યાયિક સમીક્ષામાં પણ આવા અભિગમને માન્યતા આપવામાં આવી નથી. તેમજ તે બંધારણીય કાયદાના કોઈપણ સ્થાપિત સિદ્ધાંત અનુસાર નથી.'

Supreme-Court

કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અરજદારની પ્રાર્થના કાયદાને ફરીથી લખવા અથવા સંસદને ચોક્કસ રીતે કાયદો ઘડવાનો નિર્દેશ આપવા સમાન છે. જ્યારે સામાન્ય કાયદો છે કે, કોર્ટ સંસદને કાયદો બનાવવાનો અથવા કોઈ ચોક્કસ રીતે કાયદો બનાવવાનો નિર્દેશ આપી શકતી નથી.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.