દિલ્હીની નવી ભાજપ સરકારનો આદેશઃ 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ નહીં મળે

દિલ્હીની રેખા ગુપ્તા સરકારે શનિવારે વાહનોને લઈને એક મોટો નિર્ણય લીધો. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે, 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવામાં આવશે નહીં. સિરસાએ કહ્યું કે, અમે અમારા પેટ્રોલ પંપ પર એવા ગેજેટ્સ લગાવી રહ્યા છીએ જે 15 વર્ષથી જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને કોઈ બળતણ મળશે નહીં. આજે જ અમારી સરકાર પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ માહિતી આપશે.

Delhi Vehicles, Petrol Diesel
sudarshannews.in

મીડિયા સાથે વાત કરતા પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, 'હવે, કોઈપણ પેટ્રોલ પંપ માલિક 15 વર્ષથી વધુ જૂના વાહનને ડીઝલ-પેટ્રોલ નહીં આપે. બીજું, અમે 15 વર્ષ જૂના તમામ વાહનોને ઓળખવા માટે એક ટીમ બનાવી રહ્યા છીએ. આ ટીમ દિલ્હીમાંથી આવા વાહનોને દૂર કરવા માટે પણ કામ કરી રહી છે. અમે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અભિયાનમાં સામેલ કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ.'

Delhi Vehicles, Petrol Diesel
etvbharat.com

સિરસાએ કહ્યું, 'દિલ્હીમાં કેટલીક મોટી હોટલો છે, કેટલાક મોટા ઓફિસ સંકુલ છે, દિલ્હી એરપોર્ટ છે, મોટા બાંધકામ સ્થળો છે. અમે તેમના વિસ્તારોમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક એન્ટી-સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહ્યા છીએ. અમે દિલ્હીની બધી ઊંચી ઇમારતોમાં સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહ્યા છીએ. અમે દિલ્હીની બધી હોટલોમાં સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહ્યા છીએ. તેવી જ રીતે, અમે બધા વાણિજ્યિક સંકુલ માટે તેને ફરજિયાત બનાવવા જઈ રહ્યા છીએ. અમે આજે નક્કી કર્યું છે કે, ક્લાઉડ સીડિંગ માટે અમને જે પણ પરવાનગીની જરૂર પડશે તે લઈશું અને અમે ખાતરી કરીશું કે, જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ હશે, ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવી શકાય અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.'

Delhi Vehicles, Petrol Diesel
prabhatkhabar.com

સિરસાએ કહ્યું કે, અમે આજે નિર્ણય લીધો છે કે ક્લાઉડ સીડિંગ માટે અમને જે પણ પરવાનગીની જરૂર પડશે તે લઈશું અને અમે ખાતરી કરીશું કે જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ હશે, ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ થઈ શકે અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, દિલ્હીમાં લગભગ 90 ટકા જાહેર CNG બસો ડિસેમ્બર 2025 સુધીમાં દૂર કરવામાં આવશે અને તેના સ્થાને ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવશે, જે સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ સરકારે લીધેલા પગલાનો એક ભાગ છે.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.