ફિલ્મી સ્ટાઇલમાં આવી વરરાજાને મંડપમાંથી ઉઠાવીને લઈ ગઈ પ્રેમિકા, બોલી- પ્રેમ મારી સાથે અને લગ્ન કોઈ બીજા સાથે?

ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશનના ડેલી ગામમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના મંડપમાં પહોંચી વરરાજાએ ઉપાડી લેવામાં આવ્યો. પ્રેમિકાએ વરરાજાને પોતાની કારમાં બેસાડ્યો અને સીધો પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં બંને પક્ષો વચ્ચે લાંબી પંચાયત થઈ. પ્રેમિકાએ દાવો કર્યો હતો કે, તેની અને વરરાજા વચ્ચે 10 વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. અંતે, સમજૂતી બાદ પ્રેમિકા વરરાજાને લઈને મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પોતાના ગામે જતી રહી, જ્યાં બંનેના લગ્ન થવાના છે.

marriage
contexts.org

 

પ્રેમિકાએ જણાવ્યું કે, તે અને વરરાજા સની છેલ્લા 10 વર્ષથી એક-બીજા સાથે રિલેશનશિપમાં હતા. સનીએ તેને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો હતું, પરંતુ હવે તે બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. જેવી જ તેને આ વાતની જાણ થઈ તે સીધી ત્યાં જઇ પહોંચી, જ્યાં તેના પ્રેમીના લગ્ન થઈ રહ્યા હતા. ગર્લફ્રેન્ડે એક કઠોર નિર્ણય લીધો અને કહ્યું કે તે આવું નહીં થવા દે. પોતાની બધી મહેનત અને મિત્રોની મદદથી, તેણે સનીને લગ્ન સ્થળેથી ઉઠાવ્યો અને પોલીસ સ્ટેશન લઈને પહોંચી હતી.

marriage
youthincmag.com

 

પોલીસ સ્ટેશનમાં બંને પરિવારો વચ્ચે કલાકો ચાલેલી પંચાયત બાદ, આખરે સનીએ છોકરી સાથે લગ્ન કરવા માટે પોતાની સહમતી આપી. છોકરીએ સની પાસેથી લગ્ન કરવાનો વાયદો લીધો અને તેને મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પોતાના ઘરે લઈ ગઈ, જ્યાં હવે તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રક્ષા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ શિવકુમાર કે.એ. જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને સમાધાન થયા બાદ, વરરાજા સનીને લઈને તેની પ્રેમિકા પોતાના ગામ દતિયા જતી રહી. હવે ત્યાં બંનેના લગ્ન થશે. પોલીસનું કહેવું છે કે, પૂરી રીતે સમાધાન બાદ મામલો ઉકેલાઈ ગયો છે. આ રસપ્રદ ઘટનાક્રમમાં, બંને પરિવારોની સહમતિથી નિર્ણય લેવામાં થયો.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.