'તેઓ દારૂ પીને ગુરુદ્વારા જાય છે, માને પણ આપ્યો ત્રાસ...',CM માનની પુત્રીનો આરોપ

On

પંજાબના CM ભગવંત માનની પુત્રીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. સીરત કૌર માનનો આરોપ છે કે CM ભગવંત માન દ્વારા તેની માતા અને તેની પૂર્વ પત્નીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. CM ભગવંત માન પર આરોપ લગાવતા તેમની પુત્રીએ કહ્યું કે, તેમના ભાઈને રાત્રે CM આવાસની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં CM ભગવંત માનની પુત્રીએ કહ્યું, 'હું સીરત કૌર માન છું. હું પંજાબના CM ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહી છું કે આ વિડિયોમાં હું તેમને શ્રીમાન અથવા CM સાહેબ તરીકે સંબોધીશ. તેણે મારા દ્વારા પપ્પા કહેવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.'

 

સીરત કૌર માને વાયરલ વીડિયોમાં કહ્યું, 'આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દુનિયા સમક્ષ આવે. આજ સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે ફક્ત CM સાહેબ પાસેથી જ સાંભળ્યું છે અને તેમના કારણે અમારે તે બધું સાંભળવું અને સહન કરવું પડ્યું, જે અમે કહી પણ શકતા નથી. આજ સુધી, મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે અને અમે, તેમના બાળકોએ પણ કંઈ કહ્યું નથી, પરંતુ એવું લાગે છે કે, અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.'

સીરત કૌર માને કહ્યું કે CM ભગવંત માનને ખ્યાલ નથી કે, અમારા મૌનને કારણે જ તેઓ આ પદ (CM) પર બેઠા છે. સિરતે આરોપ લગાવ્યો કે, તેના પિતાએ તેના અને તેના નાના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. સિરતે કહ્યું કે, તેનો ભાઈ ગયા વર્ષે બે વાર CM ભગવંત માનને મળવા ગયો હતો પરંતુ તેને CM હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

 

સીરત કૌર માને વધુમાં આરોપ લગાવ્યો કે, 'એકવાર તેના નાના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે, તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ઉઠાવી નથી શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકે?

વીડિયોમાં સીરત કૌરે જણાવ્યું કે, તેના પિતા તેના ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. તેણે જણાવ્યું કે, તેને આ માહિતી તેના પિતાની આસપાસના લોકો પાસેથી મળી હતી. સિરતે કહ્યું કે, તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને બાજુમાંથી કાઢી નાખ્યા છે. ડો.ગુરપ્રીત કૌર ગર્ભવતી છે. સિરતે સવાલ કર્યો કે જે વ્યક્તિએ બે નાના બાળકોને તરછોડી દીધા હોય, તેણે ત્રીજા બાળકને જન્મ કેમ આપવો જોઈએ?

CM ભગવંત માનની પુત્રી સીરત કૌર માને એ પણ કહ્યું કે, પંજાબના CM દારૂ પીને ગુરુદ્વારા જાય છે અને દારૂ પીને વિધાનસભામાં જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ CM ભગવંત માનની અંગત બાબત છે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.