'તેઓ દારૂ પીને ગુરુદ્વારા જાય છે, માને પણ આપ્યો ત્રાસ...',CM માનની પુત્રીનો આરોપ

પંજાબના CM ભગવંત માનની પુત્રીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. સીરત કૌર માનનો આરોપ છે કે CM ભગવંત માન દ્વારા તેની માતા અને તેની પૂર્વ પત્નીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. CM ભગવંત માન પર આરોપ લગાવતા તેમની પુત્રીએ કહ્યું કે, તેમના ભાઈને રાત્રે CM આવાસની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં CM ભગવંત માનની પુત્રીએ કહ્યું, 'હું સીરત કૌર માન છું. હું પંજાબના CM ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહી છું કે આ વિડિયોમાં હું તેમને શ્રીમાન અથવા CM સાહેબ તરીકે સંબોધીશ. તેણે મારા દ્વારા પપ્પા કહેવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.'

 

સીરત કૌર માને વાયરલ વીડિયોમાં કહ્યું, 'આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દુનિયા સમક્ષ આવે. આજ સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે ફક્ત CM સાહેબ પાસેથી જ સાંભળ્યું છે અને તેમના કારણે અમારે તે બધું સાંભળવું અને સહન કરવું પડ્યું, જે અમે કહી પણ શકતા નથી. આજ સુધી, મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે અને અમે, તેમના બાળકોએ પણ કંઈ કહ્યું નથી, પરંતુ એવું લાગે છે કે, અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.'

સીરત કૌર માને કહ્યું કે CM ભગવંત માનને ખ્યાલ નથી કે, અમારા મૌનને કારણે જ તેઓ આ પદ (CM) પર બેઠા છે. સિરતે આરોપ લગાવ્યો કે, તેના પિતાએ તેના અને તેના નાના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. સિરતે કહ્યું કે, તેનો ભાઈ ગયા વર્ષે બે વાર CM ભગવંત માનને મળવા ગયો હતો પરંતુ તેને CM હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

 

સીરત કૌર માને વધુમાં આરોપ લગાવ્યો કે, 'એકવાર તેના નાના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે, તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ઉઠાવી નથી શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકે?

વીડિયોમાં સીરત કૌરે જણાવ્યું કે, તેના પિતા તેના ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. તેણે જણાવ્યું કે, તેને આ માહિતી તેના પિતાની આસપાસના લોકો પાસેથી મળી હતી. સિરતે કહ્યું કે, તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને બાજુમાંથી કાઢી નાખ્યા છે. ડો.ગુરપ્રીત કૌર ગર્ભવતી છે. સિરતે સવાલ કર્યો કે જે વ્યક્તિએ બે નાના બાળકોને તરછોડી દીધા હોય, તેણે ત્રીજા બાળકને જન્મ કેમ આપવો જોઈએ?

CM ભગવંત માનની પુત્રી સીરત કૌર માને એ પણ કહ્યું કે, પંજાબના CM દારૂ પીને ગુરુદ્વારા જાય છે અને દારૂ પીને વિધાનસભામાં જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ CM ભગવંત માનની અંગત બાબત છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.