આ વખતે સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ; IMDએ અંદાજ લગાવ્યો કે દેશમાં ભારે વરસાદ પડશે!

આ વર્ષે ચોમાસાને લઈને લોકો માટે સારા સમાચાર છે. કારણ કે વાદળો મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે (IMD) અંદાજ લગાવ્યો છે કે, 2025માં દેશભરમાં સરેરાશ કરતા 105 ટકા વધુ વરસાદ પડશે. આ સમાચાર કૃષિ અને અર્થતંત્ર માટે સારા છે. ફક્ત લદ્દાખ, ઉત્તરપૂર્વ અને તમિલનાડુમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે અલ નીનો અને હિંદ મહાસાગર ડાયપોલ સામાન્ય રહેવાના છે, જે સારા ચોમાસાનો સંકેત છે. આ બંનેની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થતો હોય છે.

ખાસ વાત એ છે કે, યુરેશિયા અને હિમાલય ક્ષેત્રમાં બરફનું પ્રમાણ ઘટશે. નિષ્ણાતોના મતે, જ્યારે હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછો બરફ પડે છે, ત્યારે ભારતમાં ચોમાસાનો વરસાદ સરેરાશ કરતા વધુ હોય છે.

IMD Monsoon Forecast
hindi.news24online.com

હવામાન વિભાગ (IMD)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ચોમાસાની ઋતુ (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદ 87 cmના લાંબા ગાળાના સરેરાશના 105 ટકા હોવાનો અંદાજ છે. સારા વરસાદને કારણે, ખેડૂતો અને પાણીની કટોકટીનો સામનો કરી રહેલા વિસ્તારોને મોટી રાહત મળશે.

મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂન સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. અતિશય ગરમીને કારણે, પાવર ગ્રીડ પર વધુ ભાર પડશે, જેના કારણે પાણીની કટોકટી સર્જાઈ શકે છે.

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીં 42.3 ટકા વસ્તીની આજીવિકા ખેતી પર આધારિત છે, જે દેશના GDPમાં 18.2 ટકા ફાળો આપે છે. 52 ટકા ખેતી સીધા વરસાદ પર આધાર રાખે છે. જળાશયોના રિચાર્જિંગ માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IMD Monsoon Forecast
newstak.in

જોકે, આબોહવા વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે, દેશભરમાં વરસાદનું વાતાવરણ એક સરખું નહીં હોય. આવું હવામાન પરિવર્તનને કારણે થઈ રહ્યું છે.

સામાન્ય રીતે ચોમાસુ 1 જુલાઈના રોજ કેરળથી ભારતમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ આગળ વધે છે. જુલાઈના મધ્ય સુધીમાં ચોમાસુ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરના મધ્ય સુધી ચોમાસુ વિદાય લે છે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.