TMC નેતાનું નિવેદન; SIRમાં BJPનું ષડયંત્ર ઊંધું પડ્યું, મુસ્લિમોને બદલે હિન્દુ નામો કાઢી નાખવામાં આવ્યા!

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. કલ્યાણ બેનર્જીએ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, જેમાં ચૂંટણી પંચ અને BJP પર તીખા આરોપો લગાવ્યા છે, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો હતો કે, SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આ પ્રક્રિયા ઘુસણખોરોને દૂર કરવાના નામે હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેનાથી સ્થાનિક બંગાળી હિન્દુઓને અસર થઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે, BJP મુસ્લિમ મતો કાપવા માંગતો હતો, પરંતુ તેના બદલે હિન્દુ મતો કપાઈ ગયા હતા.

69

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ભારતના ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવ્યો, અને તેમના પર BJPના રાજકીય પ્રભાવ હેઠળ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારની રણનીતિ વિશે પણ તીખી ટિપ્પણીઓ કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારની ચાણક્યગીરી બંગાળમાં કામ કરશે નહીં. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ પોતાના આ નિવેદનમાં અનેક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેના કારણે રાજકીય વિવાદ વધારે વધી ગયો હતો. તેમણે 'જય શ્રી રામ'ના નારા પર કટાક્ષ કરતા તેમના પર મજાક પણ કરી હતી અને કેન્દ્ર સરકારના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

70

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ઓવૈસીને 'વોટ કાપનાર' તરીકે ગણાવ્યા હતા અને તેમના પર મુસ્લિમ સમુદાય માટે નક્કર કામ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે, તેમણે કહ્યું કે BJP પાસે તેનો અમલ કરવાની હિંમત નથી અને તે ધાર્મિક અધિકારો સાથે સંબંધિત એક સંવેદનશીલ મુદ્દો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ચેતવણી પણ આપી હતી કે, જનતા SIR મુદ્દા પર પ્રતિક્રિયા આપશે, અને તેની અસર આગામી ચૂંટણીઓમાં જોવા મળશે.

71

તેમણે વધુમાં કહ્યું કે, CM મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ TMC આ મુદ્દા માટે લડવાનું ચાલુ રાખશે. અહીં તમને જણાવી દઈએ કે, TMC સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદનથી બંગાળના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. SIR પ્રક્રિયા, મતદાર યાદીઓ અને ધાર્મિક-રાજકીય મુદ્દાઓ અંગે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વચ્ચે, આવનારી ચૂંટણીમાં આ મુદ્દો મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે એમ છે.

About The Author

Related Posts

Top News

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવના કારણે ભારતના ઓટો ઉદ્યોગને ટૂંકા ગાળામાં પડકારોનો સામનો કરવો પડી શકે...
Tech and Auto 
ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.