બે પત્નીઓએ મળીને છરાથી પતિને પતાવી દીધો, 6 મહિના અગાઉ જ કરેલા બીજા લગ્ન

બિહારના છપરા જિલ્લામાં 2 પત્નીઓએ મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક દિલ્હીમાં રહીને રોજી રોટી કમાઈ રહ્યો હતો. બકરીદના અવસર પર જ પોતાના ઘરે આવ્યો હતો. જાણકારી મળતા જ પોલીસે બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ભેલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલ્દીવાલિયા રાયપુરના રહેવાસી આલમગીર અન્સારી (ઉંમર 45 વર્ષ)ના પહેલા લગ્ન લગભગ 10 વર્ષ અગાઉ થયા હતા.

પત્ની સલમા સારણ જિલ્લાના જ ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિંતામનગંજ ગામની રહેવાસી છે, પરંતુ લગ્નના થોડા મહિના બાદ જ આલમગીરની પહેલી પત્ની સાથે અણબનાવ થઈ ગયો. આ કારણે સલમા છોડીને બીજી જગ્યાએ રહેવા લાગી. બીજી તરફ છેલ્લા 6 મહિના અગાઉ આલમગીરે દિલ્હી જઈને બંગાળની રહેવાસી અમીના સાથે બીજા લગ્ન કરી લીધા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ આલમગીરની પહેલી પત્ની સલમા દિલ્હી પહોંચી ગઈ. બંને ત્યાં જ એક સાથે રહેતી હતી.

આ દરમિયાન દિલ્હીમાં રહેતા આલમગીર બકરીદના અવસર પર પોતાના ગામમાં આવ્યો. જાણકારી મળતા જ 9 જુલાઇની બપોરે બંને પત્નીઓ એક સાથે આલમગીરના ઘરે એટલે કે પોતાના સાસરે પહોંચી ગઈ. કોઈ વાતને લઈને ત્રણેય વચ્ચે વિવાદ થવા લાગ્યો. આ વિવાદ દરમિયાન સલમાએ છરો કાઢીને પતિ આલમગીર પર જીવલેણ પ્રહાર કરી દીધો. હુમલામાં આલમગીર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. કોઈક પ્રકારે આલમગીરને તેના પરિવારજનો સારવાર માટે ગરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, પરંતુ તેની ગંભીર હાલત જોતા ડૉક્ટરે સીધો PMCH રેફર કરી દીધો.

PMCH જવા દરમિયાન રસ્તામાં જ આલમગીરનું મોત થઈ ગયું. જાણકારી મળતા પહોંચેલી પોલીસે શબને કબજામાં લઈને છપરા સદર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી. સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરતા સાલમા અને અમીનાની આલમગીરની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. ભેલ્દીના SHO સંતોષ કુમારે જણાવ્યું કે, આ બાબતે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. બંને પત્નીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તો આ ઘટના બાબતે મઢૌરાના DSP નરેશા પાસવાને જણાવ્યું કે બેલવાલિયામાં પતિની છરો મારીને હત્યા કરવાના આરોપ મૃતકના પરિવારજનોએ બંને પત્નીઓ પર લગાવી છે. ઘટનાના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.