ઉજ્જૈનમાં 170 વર્ષ જૂની હનુમાન મૂર્તિ બે દિવસમાં પણ ન હલી; હવે પુરાતત્વવિદો કરશે સ્કેનિંગ

ધર્મ અને આધ્યાત્મિકતાની નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ 2028ની તૈયારીઓ માટે માર્ગ પહોળો કરવાની ઝુંબેશ વચ્ચે એક અનોખો અને ભાવનાત્મક મામલો સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી, જિલ્લા વહીવટીતંત્ર અને એન્જિનિયરોની એક ટીમ કંઠાલથી છત્રી ચોક (બડા સરાફા)ના માર્ગ પર લગભગ 170 વર્ષ જૂના મંદિરમાં સ્થિત ઉભેલી હનુમાનની મૂર્તિને નવી જગ્યાએ ખસેડવાનું કામ કરી રહી છે. જો કે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ છતા મૂર્તિ એક ઇંચ પણ ખસી નથી.

khade-hanumanji-temple1
aajtak.in

મૂર્તિ ન ખસવાને કારણે વહીવટીતંત્રએ હાલમાં સલામતી માટે સ્થળ પર તંબુ લગાવી દીધો છે; જ્યાં ભગવાન ગજાનન અને ભગવાન હનુમાનની કૃપાથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. સ્થાનિકો અને ભક્તો આને દૈવી શક્તિ અને ભગવાનની મરજી માની રહ્યા છે. વહીવટીતંત્રએ મંદિરની દિવાલ તોડી નાખી છે, પરંતુ મૂર્તિ ન હાલતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાયો છે. મંગળવારે, સેંકડો કાર્યકરો અને રહેવાસીઓ ભવ્ય 'મહા-આરતી' કરવા માટે મંદિર પરિસરમાં એકઠા થયા હતા.

khade-hanumanji-temple4
bhaskar.com

'બાલવિજય મસ્ત હનુમાન' મંદિરના પૂજારી સુલભ શાંતનુ શર્મા અને મંદિર સમિતિના સભ્યોએ કહ્યું કે, જ્યારે મંદિરની બંને બાજુ રસ્તાની જગ્યા ઉપલબ્ધ છે, તો વહીવટીતંત્રએ તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. મંદિર પૂજારીએ વહીવટીતંત્ર પાસેથી લેખિત ગેરંટી માંગી હતી કે મૂર્તિને કોઈપણ નુકસાન વિના ટાંકી ચોકમાં સુરક્ષિત રીતે ફરીથી સ્થાપિત કરવામાં આવશે; અન્યથા મૂર્તિને સ્પર્શ પણ કરવા દેવામાં આવશે નહીં.

khade-hanumanji-temple3
bhaskar.com

ઉજ્જૈન જ નહીં, ઇન્દોરથી બોલાવવામાં આવેલા વિશેષ એન્જિનિયરો અને તકનીકી નિષ્ણાતોએ બે દિવસ મૂર્તિને કોઈપણ ભંગાણ કે નુકસાન પહોંચાડ્યા વિના ખસેડવા માટે સાવચેતીપૂર્વક પ્રયાસો કર્યા. જોકે, શનિવાર સાંજ સુધીમાં પરિસ્થિતિ યથાવત રહી. ભગવાન મહાકાલની ભવ્ય શોભાયાત્રા ફક્ત બે દિવસમાં આ માર્ગ પરથી પસાર થવાની હોવાથી, વહીવટીતંત્ર પાસે ખૂબ ઓછો સમય છે, અને તણાવ વધી રહ્યો છે.

khade-hanumanji-temple3
bhaskar.com

આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ ઉતાવળ કર્યા વિના આગળ વધવાનો નિર્ણય લીધો છે. મામલતદાર શેફાલી જૈને જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની યોજના સંપૂર્ણ આદર અને સુરક્ષા સાથે ટાંકી ચોક પર પ્રતિમા સ્થાપિત કરવાની છે. પ્રતિમાના પાયાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. હવે, પુરાતત્વ વિભાગની એક ટીમ અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને પ્રતિમાના પાયા, આંતરિક માળખું અને આસપાસની માટીનું સ્કેન કરશે. રિપોર્ટ આવ્યા પછી જ આગળનું કામ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ

Appleએ તેના 'Surprise and Shine' ઇવેન્ટમાં તેની નવી ફ્લેગશિપ સીરિઝ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સત્તાવાર...
Tech and Auto 
iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બપોરે 12:00  વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. આજે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને દિવ્યભાસ્કરના...
Gujarat 
ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

IT મેનેજરની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર; જણાવી એક મહિનાની કમાણી

એક મહિલા ઓટો રિક્ષા ચાલક સાથેની સામાન્ય વાતચીત કેવી રીતે એક અણધારી અને પ્રેરણાદાયી મુલાકાતમાં બદલાઈ ગઈ, તેનો એક...
Lifestyle 
IT મેનેજરની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર; જણાવી એક મહિનાની કમાણી

બોક્સ ઓફિસ પર 'ભક્તિ'નું શાસન! 'હનુમાન અંશ' પછી, 'તેરા સાંઈ' અને 'બાબા ખાટુશ્યામ' ફિલ્મની જાહેરાત

આજકાલ, ભક્તિ અને શ્રદ્ધા પર કેન્દ્રિત ફિલ્મો બોક્સ ઓફિસ પર લોકપ્રિયતા મેળવી રહી છે. 'હનુમાન અંશ'ની...
Entertainment 
બોક્સ ઓફિસ પર 'ભક્તિ'નું શાસન! 'હનુમાન અંશ' પછી, 'તેરા સાંઈ' અને 'બાબા ખાટુશ્યામ' ફિલ્મની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.