અમ્પાયરે ‘નો બૉલ’ આપ્યો તો મેદાનમાં જ છરો મારીને તેને પતાવી દીધો

ઓરિસ્સામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટનું એક મેદાન યુદ્ધના મેદાનમાં બદલાઈ ગયું. અમ્પાયરને નો બૉલ આપવાનો નિર્ણય એટલો ભારે પડી ગયો કે, એક યુવકે તેની ધારદાર છરા વડે હત્યા કરી દીધી. આ ઘટના કટકના મહિશિલાંદા ગામની છે. અહી ક્રિકટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન અમ્પાયરે ‘બો બૉલ’ આપી દીધો. આ વાત આરોપીને પસંદ ન આવી. મૃતક યુવકની ઓળખ મહિશિલાંદા ગામના રહેવાસી લકી રાઉત (ઉંમર 22 વર્ષ)ના રૂપમાં થઈ છે.

આરોપીને ગ્રામજનોએ પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, મહિસલાંદામાં ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. બંને ટીમો એટલે કે બ્રહ્મપુર અને શંકરપુર સેકડો દર્શકોની હાજરીમાં મેચ રમી રહી હતી, પરંતુ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે અમ્પાયરે બ્રહ્મપુરની ટીમ વિરુદ્ધ ખોટો નિર્ણય આપી દીધો. અમ્પાયરના આ નિર્ણયથી ગામનો સ્મૃતિ રંજન રાઉત નામનો યુવક નારાજ થઈ ગયો. તે અમ્પાયર સાથે બહેસ કરવા લાગ્યો. ધીરે ધીરે વિવાદ વધતો ગયો.

આ દરમિયાન સ્મૃતિ રંજને મેદાનમાં જ છરો કાઢી દીધો અને અમ્પાયર પર એક બાદ એક પ્રહાર શરૂ કરી દીધા. છરાઓના વારથી અમ્પાયર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને ઇમરજન્સીમાં SCB મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ અમ્પાયરને સારવાર દરમિયાન મૃત જાહેર કરી દીધો. આ ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે, સાવધાનીના પગલે ગામમાં સુરક્ષા બળની એક ટુકડીને તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મેદાન પર એવી ઘટનાઓ પહેલા પણ ઘણી વખત થઈ ચૂકી છે. લોકલ લેવલની ક્રિકેટમાં મારામારી થવી સામાન્ય થઈ ગઈ છે. આજકાલ તો ઇન્ટરનેશનલ મેચો દરમિયાન પર ગરમાગરમી જોવા મળી જાય છે. દુનિયાની સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ઘણી વખત ખેલાડી એક-બીજા સાથે ઝઘડી પડ્યા છે. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો ઝઘડો, હરભજન સિંહ દ્વારા શ્રીસંતને મારવામાં આવેલી થપ્પડ તો બધાને યાદ જ હશે, પરંતુ દર્શકો વચ્ચે એવા ઝઘડાના ઘણા ઉદાહરણ છે. જો કે, તમામ વાતો વચ્ચે પણ એવા ઝઘડા થવા ચિંતાજનક છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.