ચૂંટણી જીતી ગયો ઉમેદવાર છતા ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો, જુઓ વીડિયો

કાનપુરમાં બેગમપુરવા વૉર્ડથી જીત હાંસલ કરનારા સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર અકીલ સાનૂ ખુશીના લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જેવી જ અકીલને જીતવાના સમાચાર મળ્યા, પહેલા તો તેને વિશ્વાસ ન થયો, પરંતુ ત્યારથી જોર જોરથી રડવા લાગ્યો. અકીલે આ ચૂંટણી વોર્ડ નંબર 102થી જીતી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકીલ છેલ્લા 15 વર્ષોથી જીત માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અકીલે રડતા રડતા કહ્યું કે, ઘણા સંઘર્ષ બાદ જીત હાંસલ થઈ છે. અકીલ સાનૂએ બેગમપુરવાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારના રૂપમાં નામાંકન કરાવ્યું હતું. તે છેલ્લા ઘણા સમયથી જીતના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને સફળતા મળી શકતી નહોતી, મતગણતરી બાદ જ્યારે તેને જીતનું સિંબલ આપવામાં આવ્યું તો પહેલા તેને વિશ્વાસ ન થયો. ત્યારબાદ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

જીત બાદ અકીલે કહ્યું કે, મારી વિરુદ્ધ ખૂબ પૈસાવાળાઓએ ચૂંટણી લડી હતી. આ વખત જીતનો એટલે મને વિશ્વાસ ન થયો અને મારા આંસુ નીકળી આવ્યા. લાંબા સમય બાદ જીત મળવાથી અકીલ ખૂબ ખુશ અને સંતુષ્ટ અનુભવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીની વાત કરીએ તો અહી ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે. મેયર પદની ચૂંટણીમાં ભાજપ દરેક જગ્યાએ આગળ ચાલી રહી છે. તો બરેલી, ઝાંસી, ગાઝિયાબાદ અને અયોધ્યા બાદ ભાજપે મથુરામાં મેયર પદ પર જીત હાંસલ કરી લીધી છે. મથુરાના ભાજપના ઉમેદવાર વિનોદ અગ્રવાલે જીત હાંસલ કરી. ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટ રૂપે નજરે પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને નગર પાલિકા અને નગર પંચાયત સિદ્ધિમાં ભાજપે લીડ હાંસલ કરી લીધી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.