કાશી વિશ્વનાથના દર્શન કરી પાછા ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

On

ઉત્તર પ્રદેશના વારાણસીમાં બુધવારે સવારે લગભગ 7 વાગ્યે ભયંકર રોડ અકસ્માત થયો. જેમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. જ્યારે 3 વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. આ રોડ અકસ્માત ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિયાવમાં તે સમયે બન્યો જ્યારે ફૂલ સ્પિડમાં જઇ રહેલી મારુતિ અર્ટિગા કારની ટક્કર ટ્રક સાથે થઇ ગઇ.

અકસ્માત અંગેની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બધા શવોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડ્યા. સાથે જ તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર, કારમાં માત્ર 3 વર્ષના માસૂમને છોડીને બાકીના 8 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બધા પીડિત પીલીભીતના નિવાસી હતા. બુધવારે સવારે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી બધા બનારસથી જૌનપુર જઇ રહ્યા હતા. ત્યારે ફૂલપુરના કરખિયાવની પાસે આ દુર્ઘટના બની. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વારાણસી-લખનૌ નેશનલ હાઈવે પર સુરહી ગામની પાસે ફાસ્ટ સ્પીડમાં જઇ રહેલી અર્ટિગા કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઇ. કારમાં સવાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથથી દર્શન કરી પીલીભીત પાછા ફરી રહ્યા હતા. ઘટના સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસની કહેવામાં આવી રહી છે. આ અકસ્માતમાં એક 3 વર્ષીય બાળકનો જીવ બચ્યો છે. જેની સ્થિતિ ગંભીર છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાને લઇ શોક વ્યક્ત કર્યો છે. તેમને દિવગંત આત્મની શાંતિની કામના કરતા શોક મનાવી રહેલા પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મૃતકોમાં 32 વર્ષીય વિપિન યાદવ, તેમની 48 વર્ષીય માતા ગંગા દેવી સામેલ છે. મહેન્દ્ર પાલ(43) પોતાના પરિવારના વૃદ્ધોની અસ્થિઓનું વિસર્જન કરવા માટે પોતાની 40 વર્ષીય પત્ની ચંદ્રકાલી અને ભાઈ દામોદર પ્રસાદ(35) તથા પત્ની નિર્મલા દેવી(32) અને પાંચ વર્ષના પુત્ર શાંતિ સ્વરૂપની સાથે ગયા હતા. આ ઉપરાંત આ કારમાં 55 વર્ષીય રાજેન્દ્ર પણ સામેલ હતા. અર્ટિગા 24 વર્ષીય અમન ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં બાળકને છોડી બધાં 8 લોકોના મોત થયા છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.