ખાસ માણસોની ટિકિટ કપાતા વસુંધરા રાજે નારાજ, હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહી છે

રાજસ્થાનમાં 23 નવેમ્બર 2023ના દિવસે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટનો મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ભાજપે 41 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી જેમાં, 7 સાંસદોને તક આપવામાં આવી, પરંતુ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને ખાસ ગણાતા લોકોની ટિકિટ કપાઇ જતા રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. પોતાના નજીકના માણસોની ટિકિટ કપાવવાને કારણે રાજે પણ નારાજ છે, પરંતુ તેમણે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ભાજપ હવે રાજસ્થાનમાં ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે.

ભાજપે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પહેલી યાદીમાં જે 41 નામો જાહેર કર્યા તેમાં 31 નામ નવા છે. જાણકારોના કહેવા મુજબ વસુંધરા રાજેનું પત્તુ કાપવા માટે તેના સમર્થકોના નામ કપાયા છે.

રાજસ્થાનમાં ભડકો થઇ રહ્યો છે એ વાત જાણીને ભાજપના ટોચના નેતાઓએ હવે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. સોમવારે રાત્રે રાજસ્થાનના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી સ્થિતિનો તાગ મેળવવા માટે જયપુર પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતમાં ભાજપના આ નેતાએ કહ્યું હતું કે, અમે બધા નારાજ નેતાઓ સાથે વાત કરીશું અને તેમને મનાવી લઇશું. આ અમારો આંતરિક મામલો છે, જેનો ઉકેલ લાવીશું.

જોશીએ કહ્યું કે પાર્ટીનો પ્રયાસ એ રહેશે કે નેતાઓ બળવાખોર ન બને અને અપક્ષ તરીકે ચૂંટણી લડતા તેમને રોકવામાં આવે. આ પહેલાં હિમાચલ પ્રદેશમાં બળવાખોર નેતાઓને કારણે ભાજપે મોટું નુકશાન વેઠવું પડ્યું હતું.

રાજસ્થાનમાં ઝોટવારા બેઠક પરથી ભાજપે મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજ્યવર્ધન રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે. જેને કારણે આ બેઠક પર વર્ષોથી રાજ કરતા અને વસુંધરા રાજેના ખાસ ગણાતા રાજપાલ શેખાવત ભારે નારાજ થયા છે. શેખાવતના સમર્થકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. કાર્યકરોએ ભાજપની ઓફિસ સુધી રેલી પણ કાઢી હતી. શેખાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે 15 વર્ષથી આ બેઠક પર મહેનત કરું છુ અને બે વખત જીત્યો છું.

એ જ રીતે શહેરની બેઠક પરથી અનિતા સિંહની ટિકિટ કપાઇ જતા તેઓ ગુસ્સે ભરાયા છે. અનિતાએ કહ્યું કે તે સીટ પરથી મજબૂત દાવેદાર હતી, પરંતુ પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી જે 2018માં મોટા માર્જિનથી હારી ગયા હતા. અનિતાએ કહ્યું કે તે તેના સમર્થકો સાથે વાત કર્યા બાદ શું કરવું તે નક્કી કરશે. પાર્ટીએ શહેરની બેઠક પરથી જવાહર સિંહ બેધામને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ભૂતકાળમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વિદ્યાધર સીટના ધારાસભ્ય નરપતસિંહ રાજવી પણ નારાજ છે. જો કે તેમણે બળવો કરવાની કે અપક્ષ ચૂંટણી લડવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

Related Posts

Top News

શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા તૂટી ગઈ છે. બંને વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ છે....
World 
શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
National 
આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
Gujarat 
રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.