પ્રેમી રાત્રે પ્રેમિકાને મળવા ગયો, પકડાયો, ગામવાળાઓએ બંનેના લગ્ન કરાવી દીધા

કહેવાય છે ને કે પ્રેમ ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે, પરંતુ આ પ્રેમ જ્યારે થઈ જાય છે ત્યારે વ્યક્તિ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર થઈ જતી હોય છે. પોતાના પ્રેમ માટે જીવન કુરબાન કરવા, કોઈનો જીવ લેવામાં પણ તે ખચકાતો નથી. તો પોતાની પ્રિય થઈ પડેલી વ્યક્તિ માટે કોઈ પણ હદ વટાવવા માટે તૈયાર થઈ જાય છે, તે ધર્મ-જાતિની દીવાલ હોય કે પછી અમીરી-ગરીબીની. પરંતુ હાલમાં એક યુવકને પોતાની વહાલી પ્રેમિકાને રાત્રે મળવા જવાનું મોંઘું પડી ગયું.

બિહારના જમુઈમાં એક એવા લગ્ન થયા, જેની બાબતે તમે કદાચ જ સાંભળ્યું હશે. રાત્રે મોબાઇલના પ્રકાશમાં યુવક અને યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન આખું ગામ જાનૈયા બન્યું અને મંદિરમાં ખૂબ ભીડ જમા થઈ ગઈ. આ આખી ઘટના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કકનચોર ગામની છે. પટેશ્વર નાથ મંદિર પરિસરમાં પ્રેમમાં પડેલા એક યુવક-યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. હવે આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુવક લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામનો જ રહેવાસી છે. તો કર્રા ગામની રહેવાસી પૂજા કુમારી પોતાના દાદાના ગામ કકનચોર આવી હતી. યુવક રંજન પોતાની પ્રેમિકાને મળ્યા વિના ન રહી શક્યો. તે તેને મળવા રાતના અંધારામાં પહોંચી ગયો. રાત્રે અંધારામાં બંને વચ્ચે વાતચીત અને મિલન પર ગ્રામજનોની નજર પડી ગઈ. પછી શું હતું, જાત-જાતની વાત થવા લાગી. કોઈ બંનેને પોલીસના હવાલે કરવાની વાત કરવા લાગ્યું, તો કોઈ બંનેના લગ્ન કરાવી દેવાનું સૂચન આપવા લાગ્યું.

ગ્રામજનોની સહમતીથી ગામના જ મંદિરમાં મોબાઇલના પ્રકાશ વડે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન મંદિર પરિસરમાં ગામના લોકોની ભારે ભીડ પણ ભેગી થઈ ગઈ, તેમાં મહિલાઓ પણ સામેલ હતી. રિપોર્ટ્સ મુજબ, યુવક રંજન અને છોકરી પૂજા વચ્ચે ઘણા મહિનાઓથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ગુરૂવારની રાત્રે 12 વાગ્યે બંનેને એક સાથે જોઈને ગામના કેટલાક લોકોએ બરાડા પાડવાની શરૂઆત કરી દીધી. આ દરમિયાન યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો તો ગ્રામજનોએ તેને પકડી લીધો. ત્યારબાદ સવારે 3 વાગ્યાની આસપાસ બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.