શાળાએ જતી 10મા ધોરણની વિદ્યાર્થિની શ્રીનિધિનું હાર્ટ અટેકથી નિધન

હાર્ટ એટેક હરતા ફરતા લોકોના જીવ લઈ રહ્યો છે. હાર્ટ એટેકથી થનારા મોતની કહાનીઓ ખૂબ જ ડરામણી હોય છે. ગત દિવસોમાં મધ્યપ્રદેશમાં, લગ્નના દિવસે ઘોડા પર બેઠેલા વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. હવે હાર્ટ એટેકની આવી જ વધુ એક ડરામણી કહાની તેલંગાણાથી સામે આવી છે. જ્યાં શાળાએ જતી વખતે 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મીડિયો રિપોર્ટ્સ મુજબ, આ વિદ્યાર્થી શાળાએ જઈ રહી હતી. તે શાળા નજીક પહોંચી જ હતી કે અચાનક બેભાન થઈ ગઈ અને થોડી જ વારમાં તેનું મોત થઇ ગયું.

હકીકતમાં, તેલંગાણાના કામારેડ્ડીમાં ગુરુવારે શાળાએ જઈ રહેલી 10મા ધોરણની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું. કામારેડ્ડી જિલ્લાની એક ખાનગી શાળામાં ધોરણ 10માં ભણતી શ્રીનિધિ (14 વર્ષ)નું હાર્ટ એટેકથી મોત થઇ ગયું. રામારેડ્ડી મંડળના સિંગરાઈપલ્લી ગામની રહેવાસી શ્રીનિધિ કામારેડ્ડીમાં અભ્યાસ કરતી હતી.

ગુરુવારે સવારે, શાળાએ જતી વખતે, તેના હૃદયમાં દુઃખાવાને કારણે તે બેભાન થઈ ગઈ અને શાળાની નજીક પડી ગઈ. શાળાના શિક્ષકે જોયું અને તરત જ તેને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેની તપાસ કરી અને પ્રાથમિક સારવાર શરૂ કરી. પરંતુ આ છતા, શ્રીનિધિએ કોઈ પ્રતિભાવ ન આપ્યો અને તેને બીજી હૉસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.