સમીર વાનખેડેએ બોમ્બે હાઇકોર્ટમાં CBI સામે જ સવાલ ઉભો કરી દીધો, મંજૂરી ખોટી છે

Narcotics Control Bureau (NCB)ના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં CBI પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવા માટે લેવામાં આવેલી મંજૂરી માન્ય નથી. તેમનું કહેવું છે કે તપાસ એજન્સીઓએ કેન્દ્રીય મંત્રાલય પાસેથી મંજૂરી લીધી હતી.

સમીર વાનખેડેના વકીલ આબાદ પોંડાએ ન્યાયાધીશ એ એસ ગડકરી અને એસજી ડીગેની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે વાનખેડેની તપાસની મંજૂરી ગૃહ મંત્રાલય પાસે લેવામાં આવી હતી જે ખોટું છે, કારણકે સમીર વાનખેડે  Indian Revenue Service (IRS)ના અધિકારી હતા.

વકીલ આબાદ પાંડેએ કહ્યું કે, સમીર વાનખેડે નાણાં મંત્રાલયને આધિન કામ કરી રહ્યા હતા.તેમને લોન તરીકે NCBમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે ગૃહ મંત્રાલય અંતગર્ત આવે છે.

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 17 A હેઠળ, કોઇ પણ જાહેર સેવકની તપાસ કરતા પહેલા મંજૂરી લેવી જરૂરી હોય છે. સમીર વાનખેડેના કેસમાં CBIએ મંજૂરી લીધી હતી, પરંતુ એ મંજૂરી ગૃહ મંત્રાલય પાસેથી લેવામાં આવી હતી. આ વાતનો આધાર બનાવીને સમીર વાનખેડેના વકીલ દલીલ કરી રહ્યા છે કે તેઓ નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે એટલે ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી ન લેવી જોઇએ.

CBIએ સમીર વાનખેડેની સામે ભ્રષ્ટાચાર અને લાંચનો કેસ નોંધાવેલો છે. વાનખેડે પર આરોપ છે કે તેમણે ‘મુંબઇ ક્રુઝ ડ્રગ્સ કેસ’માં આર્યન ખાનને કેસમાંથી બહાર કાઢવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. સમીર વાનખેડે અને શાહરૂખ ખાન વચ્ચેની એક કથિત વ્હોટેસેપ ચેટ પણ સામે આવી હત. વાનખેડેનો દાવો છે કે શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યનનું ધ્યાન રાખવા માટે મેસેજ કર્યો હતો,જ્યારે આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી.

સમીર વાનખેડે તેમના પર થયેલી  FIRને રદ કરવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને ધરપકડથી વચગાળાનું રક્ષણ પણ માંગ્યું. હાઈકોર્ટે વાનખેડેને કોઈપણ જબરદસ્તી કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. બુધવારે, આ રક્ષણ 5 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું હતું જ્યારે હાઈકોર્ટ આ અરજી પર વધુ સુનાવણી કરશે.

વર્ષ 2021ની 2જી ઓકટોબરે મુંબઇના કાર્ડલિયા ક્રુઝ પર NCBએ દરોડા પાડ્યા હતા જેમાં શાહરૂખના પુત્ર આર્યન ખાન સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.