'BJPએ મહારાષ્ટ્રમાં જે કર્યું એ જ પંજાબમાં કરશે', SADને શેનો છે ડર?

શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે BJP પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, BJP મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર તેની યોજનામાં સફળ નહીં થાય. કૌરે કહ્યું કે, સમગ્ર શિરોમણી અકાલી દળ એકજુટ છે અને સુખબીર બાદલની સાથે છે. BJPના કેટલાક કટ્ટરપંથીઓ શિરોમણી અકાલી દળને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હરસિમરત કૌરે કહ્યું કે, BJPએ મહારાષ્ટ્રમાં જે કર્યું, પંજાબમાં પણ તે જ કરવા જઈ રહી છે, પરંતુ આખો પક્ષ સુખવીર સિંહ બાદલ જીની સાથે મજબૂતીથી ઉભો છે. પરંતુ BJP તેના આ ષડયંત્રમાં સંપૂર્ણપણે નિષ્ફળ જશે.

કૌરે કહ્યું કે 117 નેતાઓમાંથી માત્ર 5 નેતા સુખબીર બાદલની વિરુદ્ધ છે, જ્યારે 112 નેતાઓ પાર્ટી અને સુખબીર બાદલની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે જે પાંચ લોકો વિરોધ કરી રહ્યા છે તે તમામ BJP સાથે છે અથવા તેમના સંપર્કમાં છે.

અકાલી દળના સાંસદે તે પાંચ લોકો વિશે પણ જણાવ્યું જે સુખબીર સિંહ બાદલની વિરુદ્ધ છે અને BJP સાથે છે અથવા તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે પાંચ લોકોમાંથી એકે BJPના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. બીજાને પણ BJP દ્વારા ચૂંટણી લડાવી હતી, ત્રીજાનો ભાઈ BJP સાથે છે અને ચોથો BJPમાં જોડાવા માટે અંદર બહાર ફરતો રહ્યો હતો. તેમણે કહ્યું કે આ બધા BJPના પીઠ્ઠુ છે, જે આ કરી રહ્યા છે. જ્યારે પંજાબ આ વાત સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે, આખી પાર્ટી સુખબીર સિંહ બાદલની સાથે છે. BJP એ 117માંથી પાંચ લોકોને તોડ્યા છે.

આવી સ્થિતિમાં પંજાબના રાજકીય વાતાવરણમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, અકાલી દળમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, કારણ કે પાર્ટીના કેટલાક નેતાઓ સુખબીર સિંહ બાદલનું રાજીનામું ઈચ્છે છે. આ જોતાં મંગળવારે અકાલી દળની અંદર બે બેઠકો યોજાઈ હતી. અકાલી દળના બળવાખોર નેતાઓએ જલંધરમાં બેઠક યોજી હતી અને આ બેઠકમાં પાર્ટીના કેટલાક જિલ્લાના વડાઓએ પણ હાજરી આપી હતી. જ્યારે બીજી બેઠક ચંદીગઢમાં પાર્ટી પ્રમુખ સુખબીર સિંહ બાદલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં અકાલી દળના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજાઈ હતી.

જલંધરમાં યોજાયેલી બેઠક પછી બળવાખોર નેતાઓએ જાહેરાત કરી હતી કે, શિરોમણી અકાલી દળ બચાવો આંદોલન 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. જલંધરના વડાલા ગામમાં આયોજિત બળવાખોર નેતાઓની આ બેઠકમાં પૂર્વ સાંસદ પ્રેમ સિંહ ચંદુમાજરા, પૂર્વ SGPC અધ્યક્ષ બીબી જાગીર કૌર, પૂર્વ મંત્રી પરમિંદર સિંહ ઢીંડસા, પૂર્વ ધારાસભ્ય સિકંદર સિંહ મલુકા અને સુરજીત સિંહ રખડા જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

બળવાખોર નેતાઓએ માંગ કરી હતી કે પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલે પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓને સમજવી જોઈએ અને બલિદાનની ભાવના બતાવવી જોઈએ અને પાર્ટીની કમાન એવા નેતાને સોંપવી જોઈએ જે અકાલી દળને મજબૂત કરી શકે અને ધર્મ અને રાજકારણ વચ્ચે સંતુલન પણ જાળવી શકે. અકાલી દળના બળવાખોર નેતાઓની બેઠકમાં સંત સમાજ સાથે જોડાયેલા કોઈ મોટા ચહેરાને પાર્ટી પ્રમુખનું પદ આપવા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ચંદીગઢમાં યોજાયેલી SADની બેઠકમાં પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અકાલી દળે કહ્યું છે કે, આ તમામ બળવાખોર નેતાઓ નિરાશ છે અને BJP દ્વારા પ્રાયોજિત છે. પાર્ટીએ કહ્યું કે, તેઓ અકાલી દળને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુખબીર સિંહ બાદલે બેઠકમાં કહ્યું કે, તેઓ દરેકનું સન્માન કરે છે અને તેમના માટે પાર્ટીના હિતથી ઉપર કંઈ નથી, તેમનો પોતાનો પરિવાર પણ પાર્ટી પછી જ આવે છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.