ગિરિરાજ સિંહે શું કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોજમાં આવી કારના ડેશ બોર્ડને...

બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પટના પહોંચી ગયા છે. એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. દિલ્હીના સાંસદ અને બિહારના રહેવાસી મનોજ તિવારી પણ એરપોર્ટ પર હાજર હતા. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ પછી જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળવાનો વખત આવ્યો ત્યારે સાંસદ મનોજ તિવારી પોતે કાર ચલાવી રહ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વાહનમાં બેઠા હતા. મીડિયાનો પણ વિશાળ જમાવડો જોવા મળ્યો હતો. કારનો કાચ બંધ હતો, પછી ગિરિરાજ સિંહે ધીરેન્દ્ર શાસ્ત્રીને કંઈક કહ્યું અને તેઓ જોરથી હસી પડ્યા. કારના ડેશ બોર્ડ પર હાથ જોરથી મારવા લાગ્યા. 

ધીરેન્દ્ર શાસ્ત્રીની પટના મુલાકાતને લઈને જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. પટના જિલ્લા પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા એલર્ટ મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પર આતંકવાદી અથવા ઉગ્રવાદી હુમલો થઈ શકે છે. પટના જિલ્લા પ્રશાસને અગાઉની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ આશંકા વ્યક્ત કરી છે. જિલ્લા પ્રશાસને તરેત પાલીમાં 24 કલાક પોલીસ દળ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. 

તરેત પાલીમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ 13-17 મે સુધી છે. આ પ્રસંગે, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, દાનાપુરના સબ-ડિવિઝનલ ઓફિસરે સ્થળને ચિહ્નિત કર્યું છે અને મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી અને દળોની ડેપ્યુટેશન કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા મહત્વપૂર્ણ અવસર પર ઉગ્રવાદી અથવા આતંકવાદી સંગઠનો તેમની વિનાશક નીતિના ભાગરૂપે જાન-માલને નુકસાન પહોંચાડવા માટે IEDનો ઉપયોગ કરી શકે છે. 

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો તા.13-17 સુધી તરેત, નૌબતપુર, પટણા ખાતે પ્રવચનનો કાર્યક્રમ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ કાર્યક્રમ રાજકીય વિવાદોમાં ઘેરાયેલો છે. ધર્મનિરપેક્ષતાના નામે સત્તાધારી પક્ષના ઘણા મોટા નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધર્મ અને આધ્યાત્મિકતાના નામે સમર્થન કરી રહ્યા છે. કથા સમિતિના જણાવ્યા અનુસાર જર્મન પંડાલ ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. 200 વીઘામાં કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપ્રસાદ માટે 60 કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે.

એવો અંદાજ છે કે, બિહાર ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, નેપાળ સહિતના દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ બાબાને સાંભળવા આવશે. 

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.